-
ભરૂચની નિર્ભયાનું સારવાર દરમ્યાન મોત
-
વડોદરાની સયાજી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
-
મોડી રાત્રે કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમ કરાયુ
-
બાળકીના મૃતદેહને વતન ઝારખંડ મોકલાયો
ભરૂચ જિલ્લાની બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી પરંતુ આ બાળકીનો જીવ બચી શક્યો ન હતો. સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા જીદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ બાદ રાતે જ બાળકીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને મધ્ય રાત્રિએ બાળકીનો મૃતદેહ ઝારખંડ મોકલી આપવામાં આવ્યો હતો.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 10-10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી પરંતુ અંતે આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી.