ભરૂચની નિર્ભયાનું મોડી રાત્રે પોસ્ટમોર્ટમ, મૃતદેહને વતન ઝારખંડ રવાના કરાયો

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું

New Update
  • ભરૂચની નિર્ભયાનું સારવાર દરમ્યાન મોત

  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

  • મોડી રાત્રે કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમ કરાયુ

  • બાળકીના મૃતદેહને વતન ઝારખંડ મોકલાયો

ભરૂચની 10 વર્ષની નિર્ભયાનું સારવાર  દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યા બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ ખાતે રવાના કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાની બાળકી સાથે દુષ્કર્મ આચાર્ય બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી પરંતુ આ બાળકીનો જીવ બચી શક્યો ન હતો. સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા જીદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ બાદ રાતે જ બાળકીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને મધ્ય રાત્રિએ બાળકીનો મૃતદેહ ઝારખંડ મોકલી આપવામાં આવ્યો હતો.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 10-10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી પરંતુ અંતે આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી.

ભરૂચની નિર્ભયા જિંદગી સામે જંગ હારી જતા ભરૂચમાં વિવિધ સંગઠનની મહિલાઓ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બે મિનિટનું મૌન પાળી તેમજ કેન્ડલ પ્રજવલિત કરી બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ મહિલાઓએ રોષ પૂર્વક નરાધમ આરોપીને ફાંસીની સજાની પણ માંગ કરી હતી
દસ વર્ષની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત થતા કોંગ્રેસના મહિલા નેતા મુમતાઝ પટેલનું પણ નિવેદન સામે આવ્યું હતું.મુમતાઝ પટેલે કહ્યું હતું કે આ મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્યને ઘેરા બનાવતું રહ્યું છે.પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવારને લઈને ચિંતિત હતો. સાથે તેઓએ તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા સાથે ન્યાય મળે તેવી માંગ કરી હતી.
Read the Next Article

ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની લંડન સફર બની અંતિમ, ડ્રોમાં નામ નિકળતા વર્કપરમીટ પર જઈ રહ્યો હતો ઇંગ્લેન્ડ

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી ઘટના

  • જંબુસરના સારોદ ગામના યુવાનનું મોત

  • વર્કપરમીટ પર ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો

  • માતા અને મામા એરપોર્ટ મુકવા ગયા હતા

  • પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ 

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત નીપજ્યું છે સારોદ ગામનો યુવાન વર્ક પરમીટ પર લંડન જઈ રહ્યો હતો જોકે એ સફર તેની આખરી સફર બની ગઈ હતી

ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતાં સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઇ આવ્યો છે. ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલાં ડ્રોમાં સાહિલનું નામ નીકળતાં તે વર્ક પરમીટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાનો થયો હતો. તે પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહયો હતો પણ તેની સફર અંતિમ બની રહી હતી સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મુકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયાં હતાં.એરપોર્ટ સાહિલને મુકીને અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં ગયાં હતાં. સંબંધીને ત્યાં પહોંચ્યાં ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળ્યાં હતાં જેના પગલે પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અંગે મૃતક ના પિતા સલીમ પટેલે જણાવ્યું હતું કે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે ત્યારે એવીએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપનીએ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું

આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીની હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવાની માંગ કરી હતી.