રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 50 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરાયું

એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે લાભર્થીઓને તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું

New Update
રોટરી ક્લબ ઓફ ભરૂચ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદાનગરીનું આયોજન

એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે યોજાયો કાર્યક્રમ

50 દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરાયા

તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરાયું

રોટરી ક્લબના સભ્યો અને લાભર્થીઓ ઉપસ્થિત રહ્યા

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદાનગરી દ્વારા એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા. આકસ્મિક ઘટનાઓમાં હાથ-પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ભરૂચ-નર્મદાનગરી આગળ આવી છે. આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા.

 ભરૂચ શહેરના સિટી સેન્ટર નજીક આવેલ એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે લાભર્થીઓને તબીબોની મદદ વડે કુત્રિમ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીરોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના ઝમીનદારડો. યુવરાજસિંહ ગોહિલડો. અલ્પેશભાઈ તેમજ મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો અને લાભર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે

New Update
  • ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ

  • મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર

  • હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું

  • બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ

  • વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છેત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.

મુંબઇથી સુરતભરૂચવડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

 જોકેમાર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવેવરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.