ભરૂચ: મહિન્દ્રાના શો-રૂમમાંથી રૂ.5 લાખની ચોરી, ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
Bharuch Mahindra Showroom Chori
ભરૂચના વડદલા ગામ પાસે આવેલ મેકડોનાલ્ડની બાજુમાં મહિન્દ્રા શો રૂમને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરની પીરામણ ગામના નેશનલ એપાર્ટમેન્ટમાં રહેતા શક્કાફ ગુલામ હુસેન શેખ ભરૂચના વડદલા ગામ પાસેના મેકડોનાલ્ડની બાજુમાં આવેલ મહિન્દ્રા શો રૂમમાં જનરલ મેનેજર સેલ્સ તરીકે નોકરી કરે છે.
જેઓના શો રૂમને ગત તારીખ-૩જી ડીસેમ્બરના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર શો રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.ચોરી અંગે ભરૂચ સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.