ભાવનગર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલ સૈનિકોને બી.એમ.કોમર્સના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

New Update

ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા 13 શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓએ તેમજ શાળાના સમગ્ર પરિવાર દ્વારા 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું.

ભારતના વીર યોદ્ધા CDS જનરલ બિપિન રાવત સહિત 13 શહિદોને બીએમ કૉમર્સ હાઈસ્કૂલ શાળાના પટાંગણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના વીર સપૂત અને ભારતના ત્રણે પાંખના વડા CDS જનરલ બીપીન રાવતનું આકસ્મિક નિધન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તામીલનાડુના કુન્નુર વિસ્તાર ઉપર હેલીકોપ્ટર ક્રેશ થતા સૈન્યના ઉચ્ચ અધિકારી સાથે ભારતના CDS જનરલ બિપિન રાવત સહિતના સૈનિકોનું નિધન થતા તેમના આત્માની શાંતિ અર્થે બી.એમ.કૉમર્સના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા શાળાના સમગ્ર પરિવાર દ્વારા 2 મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે શાળાના એનસીસી ઓફિસર રણજીત પરમારે તમામ 13 શહીદો વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.