ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો...

મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા.

New Update

કોળિયાક નજીક કોઝ-વે પર ફરી વળ્યા પૂરના પાણી

ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય

બનાવના પગલેNDRF સાહિતના અધિકારીઓ દોડ્યા

8 કલાકની ભારે જહેમત બાદ શ્રદ્ધાળુઓનું રેસક્યું કરાયું

શ્રદ્ધાળુઓના રેસક્યુંમાં સફળતા મળતા તંત્રને રાહત

ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક કોઝ-વે પરથી શ્રદ્ધાળુઓને લઈને પસાર થતી ખાનગી બસ પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતીત્યારે તંત્ર દ્વારા 8 કલાકની ભારે જહેમત બાદ બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓનું સહી સલામત રીતે રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારતામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતાત્યારે કોળિયાકથી 1 કિમિ દૂર આવેલા કોઝ-વે કેજેમાં ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા કોઝ-વે ઉપરથી પાણી પસાર થતું હોયછતાં બસ ચાલકે તેમાંથી બસ બહાર કાઢવાનો પ્રયાસ કરતા બસ કોઝ-વે પર થોડું અંતર કાપી બંધ પડી જતા અને પાણીનો પ્રવાહ વધતા બસ ધસડાઈને અડધી કોઝ-વે અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળ નજીક દોડી આવ્યા હતા.

તો બીજી તરફવહીવટી તંત્રને જાણ કરાતા જિલ્લા કલેકટરકમિશનરધારાસભ્ય સહિતના અધિકારીઓ તેમજ રેસક્યુંની ટીમ પણ દોડી આવી હતી. જેમાં એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં તો સફળતા મળી હતી. પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી નીચે ઉતરી જતા તમામ મુસાફરો ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા. જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા NDRFની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે NDRFની ટીમ પણ મૂંઝવણમાં મુકાય હતી. જોકેઘટનાના 8  કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતાં કોઝ-વેના બીજા તરફ અંતર ઓછું હોયજેથી રેસક્યું ટીમ દ્વારા 4 શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા 25 મળી કુલ 29  શ્રદ્ધાળુઓનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા તમામ શ્રદ્ધાળુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતીત્યારે શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય જણાતા તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં હતી.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
Latest Stories