ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો...

મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા.

New Update

કોળિયાક નજીક કોઝ-વે પર ફરી વળ્યા પૂરના પાણી

ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય

બનાવના પગલે NDRF સાહિતના અધિકારીઓ દોડ્યા

8 કલાકની ભારે જહેમત બાદ શ્રદ્ધાળુઓનું રેસક્યું કરાયું

શ્રદ્ધાળુઓના રેસક્યુંમાં સફળતા મળતા તંત્રને રાહત

ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક કોઝ-વે પરથી શ્રદ્ધાળુઓને લઈને પસાર થતી ખાનગી બસ પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતીત્યારે તંત્ર દ્વારા 8 કલાકની ભારે જહેમત બાદ બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓનું સહી સલામત રીતે રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારતામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતાત્યારે કોળિયાકથી 1 કિમિ દૂર આવેલા કોઝ-વે કેજેમાં ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા કોઝ-વે ઉપરથી પાણી પસાર થતું હોયછતાં બસ ચાલકે તેમાંથી બસ બહાર કાઢવાનો પ્રયાસ કરતા બસ કોઝ-વે પર થોડું અંતર કાપી બંધ પડી જતા અને પાણીનો પ્રવાહ વધતા બસ ધસડાઈને અડધી કોઝ-વે અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળ નજીક દોડી આવ્યા હતા.

તો બીજી તરફવહીવટી તંત્રને જાણ કરાતા જિલ્લા કલેકટરકમિશનરધારાસભ્ય સહિતના અધિકારીઓ તેમજ રેસક્યુંની ટીમ પણ દોડી આવી હતી. જેમાં એક ટ્રકને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં તો સફળતા મળી હતી. પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી નીચે ઉતરી જતા તમામ મુસાફરો ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા. જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા NDRFની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના ભારે પ્રવાહના કારણે NDRFની ટીમ પણ મૂંઝવણમાં મુકાય હતી. જોકેઘટનાના 8  કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતાં કોઝ-વેના બીજા તરફ અંતર ઓછું હોયજેથી રેસક્યું ટીમ દ્વારા 4 શ્રદ્ધાળુઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા 25 મળી કુલ 29  શ્રદ્ધાળુઓનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા તમામ શ્રદ્ધાળુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતીત્યારે શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય જણાતા તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં હતી.

 

#Gujarat #CGNews #bus #Bhavnagar #Devotees #rescued #Water Logging #Coz Way
Here are a few more articles:
Read the Next Article