ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ધાવડા નજીક અકસ્માતની ઘટના બનવા પામતી હતી. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર પરેશ ગોસ્વામી સંગીતા ગોસ્વામી કસ્તુરબેન ગોસ્વામી અને મન ચેતન ગોસ્વામી નામના બાળકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. બનાવના સ્થળે નખત્રણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.
મૃતદેહને પોસ્ટમોટમ માટે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવને લઈને ભારે-અરેરાટી પ્રસરી જવા પામી છે. માંડવી જવા નીકળેલો નખત્રાનો ગોસ્વામી પરિવાર એકાએક કાળનો કોળિયો બની ગયો હતો.