બોટાદ : કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભક્તિ રંગે દાદાના સંગે રંગાશે સાળંગપુર ધામ,હોળી ધુળેટી પર્વની થશે ભવ્ય ઉજવણી

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે

New Update
  • કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ઉજવાશે રંગોત્સવ

  • રંગોત્સવ નિમિત્તે દાદાને કરાશે વિશેષ શણગાર

  • રંગોત્સવની ઉજવણીની કરવામાં આવી તૈયારી

  • 7 પ્રકારના 51 હજાર કિલો રંગથી ઉજવાશે રંગોત્સવ

  • દેશ વિદેશમાંથી ઉમટી પડશે ભક્તો

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને 11 દેશના ભક્તો પણ રંગોત્સવમાં ઉમટી પડશે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચે એટલે કેપૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે.આ રંગોત્સવની વિશેષતાએ છે કે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે.ત્યાર બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ પણ અર્પણ કરાશે.સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે.આ ઓર્ગેનિક સપ્ત ધનુષ્યના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો ઉમટી પડશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.હાલ  મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.