બોટાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે, 

New Update

સાળંગપુર મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું નિર્માણ કરાયું, ગુજરાતનું પ્રથમ 1100 રૂમવાળું યાત્રિક ભવન બનીને તૈયાર

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છેત્યારે સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શને લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે લોકાર્પણ કર્યું હતું.

જે બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતુંઅને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી.

મહત્વનું છે કેશાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી. આ પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામીએ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કરી હતી.

સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ 2005થી અહીં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં આવી રહ્યા છેઅને આજે તેમના હસ્તે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ થતાં સૌકોઈએ ખુશીની લાગણી અનુભવી હતી.

Read the Next Article

બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીનો અપાયો આખરી ઓપ

૨૧ નવેમ્બરના ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં યોજાશે કાર્યક્રમઃ એકહજારથી વધુ જવાનો દેશભરમાંથી આવ્યાઃ રિહર્સલમાં વિવિધ કરતબો રજૂ કરાયા, દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી

New Update
MixCollage-19-Nov-2025-09-45-PM-2633

૨૧ નવેમ્બરના ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં યોજાશે કાર્યક્રમઃ એકહજારથી વધુ જવાનો દેશભરમાંથી આવ્યાઃ રિહર્સલમાં વિવિધ કરતબો રજૂ કરાયા

દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષાવ્યવસ્થાની જવાબદારી સંભાળતા બીએસએફના સ્થાપના દિવસ આ વર્ષે ભુજ ખાતે ઉજવાશે. ભુજના મુન્દ્રા રોડ પર ૧૭૬ બટાલિયન ખાતે ૨૧ નવેમ્બરના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બીએસએફનો ૬૧મો સ્થાપના દિવસ ઉજવાશે. આતમામ તૈયારીઓનું આજે રિહર્સલે કરવામાં આવ્યું હતું. એક હજારથી વધુ જવાનોએ પરેઢ કરીહતી. આ સાથે ઊંટ સવાર જવાનો, અશ્વ રાઈડ, બેન્ડ પાર્ટી સાથે ભારતીય બ્રિડનાશ્વાનોદ્વારાપ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

બીએસએફ મહિલા બેન્ડપાર્ટીએદેશભક્તિના સૂર રેલાવ્યાહતા. એન્ટી ડ્રોન સિસ્ટમનુંનિદર્શન કરવાસાથે ડ્રોન હુમલો કેવી રીતે થાય છેઅને તેમાં ક્યા ક્યાપ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનુંનિદર્શન કરવામાંઆવ્યું હતું.

૨૧નવેમ્બરનાગૃહમંત્રીઅમિતશાહબીએસએફના ૬૧મા સ્થાપનાદિવસની ઉજવણીમાં સહભાગીથવા આવી રહ્યાછેતેનાભાગરૂપેરિર્ક્સલ કરવામાંઆવ્યુંહતું. ઓપરેશનસિંદુર સહિતનીવિવિધ ઝાંખીઓ રજૂકરાઈહતી. આ સાથે ઢોલ વગાડી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂકરવામાં આવી હતી.આકાશમાં પ્રેનદ્વારા તિરેંગોબનાવવામાં આવ્યોહતો. બાઈકનાદિલધડક કરતબજોઈને ઉપસ્થિત સૌએતાડીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આકાર્યક્રમમાંબીએસએફના ડીજીદલજીતસિંહચૌધરી, ગુજરાત બીએસએફના આઈ.જી.અભિષેકપાઠકસહિતનાવરિષ્ઠ અધિકારીનો તેમજએવોર્ડવિજેતાઓઅને પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓમોટી સંખ્યામાંજોડાયા હતા.