બોટાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છે, 

New Update

સાળંગપુર મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું નિર્માણ કરાયું, ગુજરાતનું પ્રથમ 1100 રૂમવાળું યાત્રિક ભવન બનીને તૈયાર

Advertisment

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર થયું છેત્યારે સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શને લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડતાલ ગાદીના 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે લોકાર્પણ કર્યું હતું.

જે બાદ ગૃહમંત્રી અમિત શાહે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સમક્ષ શિશ ઝૂકાવ્યું હતુંઅને દાદાની વિશેષ શોડષોપચાર પૂજા કરી હતી.

મહત્વનું છે કેશાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને હનુમાનજી મહારાજની ચાંદીની મૂર્તિ અર્પણ કરી હતી. આ પછી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન સ્વામીએ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકા 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કરી હતી.

સાળંગપુર ધામ ભારતનું મિની તિરૂપતિ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષ 2005થી અહીં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સાનિધ્યમાં આવી રહ્યા છેઅને આજે તેમના હસ્તે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ થતાં સૌકોઈએ ખુશીની લાગણી અનુભવી હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં 6 મહિનાથી વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો.કુશલ ઓઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાની ટીમના

New Update
gujarat ank1

અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો.કુશલ ઓઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાની ટીમના સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. 

Advertisment
જે અન્વયે મળેલી બાતમી આધારે પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કુલ કિ.રૂ.૧૯,૦૪,૬૯૬/- ના મુદ્દામાલના ગુનામાં વોન્ટેડ આરોપી રોહિત દલસુખભાઈ વસાવા રહે,નવીનગરી, સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીની જીઆઇડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના અન્ય એક ગુનાની પણ સંડોવણી બહાર આવી છે.
Advertisment