Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના વિસ્ફોટ : નવા કેસ 5 હજારને પાર, 1158 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 5 હજારને પાર થયા છે. આજે નવા 5396 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ : નવા કેસ 5 હજારને પાર, 1158 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 5 હજારને પાર થયા છે. આજે નવા 5396 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 1158 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,21,541 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.62 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1 મોત થયું છે. આજે 3,18,945 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2281, સુરત કોર્પોરેશનમાં 1350, વડોદરા કોર્પોરેશનમાં 239, રાજકોટ કોર્પોરેશનમાં 203, વલસાડ 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરતમાં 102, કચ્છમાં 92, ગાંધીનગર કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 69, ભાવનગર કોર્પોરેશનમાં 51, ભરુચ 50, નવસારી 49, મહેસાણા 48, વડોદરા 42, ગાંધીનગરમાં 41, જામનગર કોર્પોરેશનમાં 40, મોરબી 34, અમદાવાદમાં 30, સાબરકાંઠામાં 28, અમરેલી 20, જૂનાગઢ કોર્પોરેશનમાં 19, બનાસકાંઠા 17, દાહોદ 17, પંચમહાલ 16, ભાવનગર 12, અરવલ્લી 11, દેવભૂમિ દ્વારકા 10, જામનગર 10, મહીસાગર 10, ગીર સોમનાથમાં 09, સુરેન્દ્રનગર 09, નર્મદામાં 6, તાપી 6, પાટણ 3 અને જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 18583 કેસ છે. જે પૈકી 19 વેન્ટીલેટર પર છે, જ્યારે 18564 નાગરિકો સ્ટેબલ છે. 8,21,541 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે સુરતમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે.

Next Story