Covid-19 : રાજ્યમાં આજે 50 નવા કેસ નોધાયા, 24 દર્દીઓ થયા સાજા
રાજ્યમાં આજે કોરોનાના 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે.
રાજ્યમાં આજે કોરોનાના 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે.અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,21,081 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા 6, રાજકોટ 4, વડોદરા કોર્પોરેશનમાં 4, કચ્છ 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, આણંદ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત 1, તાપી 1 અને વલસાડમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 318 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,17,158 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.