દાહોદ: ઝરીબુઝર્ગ પેટાચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના સભ્ય પર હુમલો,કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપ

દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે

New Update
  • દાહોદમાં ઝરીબુઝર્ગ બેઠકની પેટાચૂંટણી

  • ભાજપના સભ્ય પર કરાયો હુમલો

  • ખાટલા બેઠક દરમ્યાન હુમલો કરાયો

  • ઇજાગ્રસ્ત સભ્યને સારવાર અર્થે ખસેડાયા

  • કોંગ્રેસના કાર્યકરો પર આક્ષેપ

Advertisment
દાહોદના ઝરીબુઝર્ગ ગામે પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ખાટલા બેઠક યોજી રહેલ ભાજપના સભ્ય પર હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે
દાહોદના ઝરીબુઝર્ગ ગામે ભાજપના સભ્યને કોંગ્રેસ કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ગરબાડા તાલુકાની ઝરી બુઝર્ગ બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા રાત્રી સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે.ભાજપના સભ્યોએ રાત્રી દરમિયાન ઝરી બુઝર્ગ ગામના કલસ્યા ફળિયામાં બેઠક યોજી હતી ત્યારે બે ક્રુઝર કાર લઈને  15 જેટલા લોકો પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતી માજુ ભાભોરને માર મરાયો.
15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.પોલીસે હાલ કાર કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે 
Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment