Connect Gujarat
ગુજરાત

દાહોદ : અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહેલ લક્ઝરી બસ પલટી મારી, 10 થી 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત

દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ - ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજા

દાહોદ : અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહેલ લક્ઝરી બસ પલટી મારી, 10 થી 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત
X

દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ - ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજાઓ થતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ગઇકાલે સાંજના ૬ વાગ્યાના આસપાસ એક ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહી હતી તે સમયે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર પેસેન્જર ભરેલ લક્ઝરી બસ જાેતજાેતામાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી અંદાજે ૧૫ જેટલા મુસાફરોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસ આવે તે પહેલા સ્થાનીક લોકોએ ઈજાગ્રસ્તો તથા અન્ય મુસાફરોને બસમાં બહાર કાઢવાની કવાયતો હાથ ધરી હતી અને થોડીક ક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલશ સેવા મારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સદ્‌નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Next Story