દાહોદ : અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહેલ લક્ઝરી બસ પલટી મારી, 10 થી 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત

દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ - ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજા

New Update

દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ - ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલી લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી ૧૦ થી ૧૫ મુસાફરોને ઈજાઓ થતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

ગઇકાલે સાંજના ૬ વાગ્યાના આસપાસ એક ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહી હતી તે સમયે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર પેસેન્જર ભરેલ લક્ઝરી બસ જાેતજાેતામાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી અંદાજે ૧૫ જેટલા મુસાફરોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસ આવે તે પહેલા સ્થાનીક લોકોએ ઈજાગ્રસ્તો તથા અન્ય મુસાફરોને બસમાં બહાર કાઢવાની કવાયતો હાથ ધરી હતી અને થોડીક ક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલશ સેવા મારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સદ્‌નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories