Connect Gujarat
ગુજરાત

દાહોદ : નાની વયે 14 હજારથી વધુ યજ્ઞ કરાવવા બદલ શાસ્ત્રીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત...

શહેરના આચાર્ય દ્વારા નાની ઉંમરમાં વધુ યજ્ઞ કરાવતા તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થતા તેઓને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દાહોદ : નાની વયે 14 હજારથી વધુ યજ્ઞ કરાવવા બદલ શાસ્ત્રીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત...
X

દાહોદ શહેરના આચાર્ય દ્વારા નાની ઉંમરમાં વધુ યજ્ઞ કરાવતા તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થતા તેઓને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દાહોદ શહેરના રહેવાસી ડૉ. રાજા શાસ્ત્રી અને તેમના સાથી પંડિતો દ્વારા નાની ઉમરમાં ગુજરાત જ નહીં, પરંતુ ભારત દેશ સહીત વિદેશોમાં પણ રૂદ્ર યાગ, લક્ષ્મી યાગ, વિષ્ણુ યાગ, ગણેશ યાગ સહિત શહસ્ત્ર ચંડી જેવા 14 હજારથી પણ વધુ યજ્ઞ કરાવતા તેઓનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. તે અંતર્ગત ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેઓને એવોર્ડ તેમજ શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાહોદના આચાર્ય રાજા શાસ્ત્રીએ આટલી નાની ઉંમરમાં યજ્ઞ સમ્રાટની ઉપાધિ પ્રાપ્ત કરી નાની ઉંમરમાં જ 14 હજારથી પણ વધુ યજ્ઞ કરાવી ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ભારત દેશનો ડંકો વગાડી દેશને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.

Next Story