Connect Gujarat
ગુજરાત

રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
X

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના સન્માનનીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર, ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી, સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ પધારેલ તેલંગણાના રાજ્યપાલ મહામહિમ શ્રી તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પણ રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પધાર્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટીશ્રી જે. ડી પરમાર, ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી, અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસર પર તમામ મહાનુભાવો એ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.

Next Story