દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • હર્ષદના મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરીનો મામલો

  • શિવરાત્રિના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ કરી ચોરી

  • પોલીસે શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી પાડ્યા

  • શિવલિંગની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

  • યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા ચોરી કરી : પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા આ શિવલિંગની ચોરી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશેતો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. જેને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણાવનરાજસિંહ સમરસિંહ મકવાણામનોજ અમરતસિંહ મકવાણા અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગની ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું.

જુદાં જુદાં 2 વાહનોમાં હર્ષદ આવીને આ તમામ શખ્સો રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. શિવરાત્રિના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (જી. સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતાઅને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી. એટલું જ નહિંતેઓએ શિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી. આમશિવલિંગની થયેલી ચોરી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપીએલસીબી અને એસઓજીના તમામ અધિકારીઓની ટીમ સાથે SITની રચના કરી હતી. આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતીત્યારે જિલ્લા પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 235 કેસ નોંધાયા છે.  ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસના 235 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1109 પર પહોંચી ગયો છે.  

એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરના  235 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાં  33 હોસ્પિટલમાં દાખલ છે.  જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  

કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય

છેલ્લા 48 કલાકમાં દેશમાં કોરોનાના 769 નવા કેસ (Covid 19 Cases Updates) નોંધાયા છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા છ હજારને વટાવી ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે આંકડા જાહેર કર્યા હતા. મંત્રાલય અનુસાર, કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. ત્યારબાદ ગુજરાત, બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તૈયારીઓનો હિસ્સો લેવા માટે કેન્દ્ર 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. તમામ રાજ્યોને ઓક્સિજન, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.