દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

New Update
  • હર્ષદના મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરીનો મામલો

  • શિવરાત્રિના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ કરી ચોરી

  • પોલીસે શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી પાડ્યા

  • શિવલિંગની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

  • યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા ચોરી કરી : પોલીસ

Advertisment

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા આ શિવલિંગની ચોરી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશેતો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. જેને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણાવનરાજસિંહ સમરસિંહ મકવાણામનોજ અમરતસિંહ મકવાણા અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગની ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું.

જુદાં જુદાં 2 વાહનોમાં હર્ષદ આવીને આ તમામ શખ્સો રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. શિવરાત્રિના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (જી. સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતાઅને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી. એટલું જ નહિંતેઓએ શિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી. આમશિવલિંગની થયેલી ચોરી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપીએલસીબી અને એસઓજીના તમામ અધિકારીઓની ટીમ સાથે SITની રચના કરી હતી. આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતીત્યારે જિલ્લા પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment