જૂનાગઢ : ગરવા ગિરનારની લીલી પરિક્રમાન પ્રારંભમાં વહીવટી તંત્ર અને સંત સમાજ વચ્ચે અસમંજસતા

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

New Update
  • જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

  • સાધુ સંતોની હાજરીમાં પરિક્રમાનો કરાયો પ્રારંભ

  • 36 કિ.મી.ની હોય છે ગિરનારની લીલી પરિક્રમા

  • કુદરતના સાનિધ્યમાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ 

  • વહીવટી તંત્ર અને સાધુ સંત સમાજમાં સર્જાય અસમંજસતા

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

જૂનાગઢમાં દર વર્ષે દેવઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે.લીલી પરિક્રમાનો લ્હાવો લેવા અહીં દૂર દૂરથી ભાવિકો આવે છે.ધાર્મિક દ્રષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ હોય છે.ભગવાન શ્રીકૃષ્ણએ સૌ પ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનો પણ પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.

લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવામળી રહ્યો છે.36 કિ.મીની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગ માંથી પગપાળા ચાલી નીકળવું એ દરેક યાત્રી માટે એક અલગ રોમાંચ અને લહાવો હોય હોય છે.ભવનાથ તળેટીથી ઈટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીણા બાવાના મઢી,માળવેલા અને બોર દેવી સહિતના મહત્વના પડાવ પર જઈને ફરી ભવનાથમાં આવતા હોય છે.ગિરનારના જંગલના માર્ગ માંથી પસાર થવું અને રાત્રીના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જે બાબતો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.

જોકે શ્રદ્ધાળુઓના ઘસારાને કારણે આ વર્ષે દેવઉઠી એકાદશી પહેલા જ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે દેવઉઠી એકાદશીના દિવસે જિલ્લા કલેકટર અનિલ રાણાવાશિયાની ઉપસ્થિતિમાં તેમજ પોલીસ બેન્ડ અને બંદૂકની સલામી આપી થતા શ્રીફળ વધેરીને પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે આ બાબતને લઈને અન્ય સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કર્યો હતો.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.