રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર થયો પ્રભાવિત

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.

New Update

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે40 ટ્રેન રદ કરવામાં આવી છે.તેમજ નવસારીનાઅમલસાડ રેલવે સ્ટેશન ખાતે ગરીબ રથ ટ્રેનને રોકી દેવામાં આવી છે.

GWCC3lCaEAAjjj2

રાજ્યમાં અવિરત ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખાસ કરીને પશ્ચિમ રેલવે પર ભારે અસર વર્તાઈ છે.વરસાદના લીધે અમદાવાદથી મુંબઇ વચ્ચે અનેક રેલવે ટ્રેન પર પાણી ભરાઈ જવા પામ્યા છે.જેના લીધે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે.અને અંદાજીત40 વધુ ટ્રેન રદ કરવામાં આવી છેજ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે રોજિંદા જીવનવાહનવ્યવહારહવાઇ સેવાટ્રેન સેવા પર પણ અસર જોવા મળી છે. વડોદરા રેલવે ટ્રેક પર વરસાદી પાણીની જમાવટ બાદ દક્ષિણ ગુજરાતના નવસારી રેલવે સ્ટેશન પર પણ ટ્રેનને રોકી દેવામાં આવી છે,જેમાં મુંબઈથી દિલ્હી તરફ જતી ગરીબ રથ એક્સપ્રેસ રાત્રીના બે કલાક થી અમલસાડ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે,જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જોકે મુસાફરો માટે અમલસાડ મંડળી દ્વારા સેવાકીય કરી કરવામાં આવ્યું છે,અને ટ્રેન મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.