રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર થયો પ્રભાવિત

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.

New Update

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.તેમજ નવસારીના  અમલસાડ રેલવે સ્ટેશન ખાતે ગરીબ રથ ટ્રેનને રોકી દેવામાં આવી છે.

GWCC3lCaEAAjjj2

રાજ્યમાં અવિરત ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખાસ કરીને પશ્ચિમ રેલવે પર ભારે અસર વર્તાઈ છે.વરસાદના લીધે અમદાવાદથી મુંબઇ વચ્ચે અનેક રેલવે ટ્રેન પર પાણી ભરાઈ જવા પામ્યા છે.જેના લીધે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે.અને અંદાજીત 40 વધુ ટ્રેન રદ કરવામાં આવી છેજ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે રોજિંદા જીવનવાહનવ્યવહારહવાઇ સેવાટ્રેન સેવા પર પણ અસર જોવા મળી છે. વડોદરા રેલવે ટ્રેક પર વરસાદી પાણીની જમાવટ બાદ દક્ષિણ ગુજરાતના નવસારી રેલવે સ્ટેશન પર પણ ટ્રેનને રોકી દેવામાં આવી છે,જેમાં મુંબઈથી દિલ્હી તરફ જતી ગરીબ રથ એક્સપ્રેસ રાત્રીના બે કલાક થી અમલસાડ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે,જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જોકે મુસાફરો માટે અમલસાડ મંડળી દ્વારા સેવાકીય કરી કરવામાં આવ્યું છે,અને ટ્રેન મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી.

 

 

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.