ગાંધીનગર મનપા સહિત રાજ્યની 3 નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 3 ઓકટોબરે મતદાન યોજાશે
રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે

રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી 3 ઓકટોબરે મતદાન યોજાશે.
જ્યારે 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામા આવશે. જે વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત થતા જ જે તે વિસ્તારમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની હતી મોકુફ રાખવામા આવી હતી. પરંતુ, હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય પંચ દ્વારા ગાંધીનગર મનપા સહિત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ સંસ્થાઓ માટે 3 ઓકટોબરે મતદાન યોજાશે અને 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામા આવશે,. મતદાન મથકો પર કોવિડ ગાઈડલાઈન્સના અમલ સાથે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવામા આવશે. ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાશે. આ ઉપરાંત અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 3 તારીખે મતદાન યોજાશે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT