ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર.

New Update
ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 56મો સ્થાપના દિવસ છે. સરકારી અને રાજકીય ગતિવિધિઓના એપી સેન્ટર સમાન ગાંધીનગરની આજે કાયાપલટ થઇ ચુકી છે.

અમદાવાદથી 32 કીમીના અંતરે આવેલું ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગષ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર આજે વિવિધ પ્રોજેકટના કારણે વિશ્વ ફલક પર નામના મેળવી ચુકયું છે. ખાસ કરીને મહાત્મા મંદિર સહિતના વૈશ્વિક કક્ષાના બાંધકામોએ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. તાજેતરમાં જ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરાયું હતું.

છેલ્લા ચાર વર્ષમાં 1,300 કરોડ રૂપિયા ઉપરાંતના ચાર પ્રોજેકટે ગાંધીનગરની સુરત બદલી નાંખી છે. મહાત્મા મંદિર, ટોય મ્યુઝિયમ , કેપિટલ રેલ્વે સ્ટેશન અને ગીફટ સીટી... મહાત્મા મંદિરની સ્થાપના થયાં બાદ ગાંધીનગર ખાતે દેશ તથા વિદેશના મહાનુભવોનું અવાગમન શરૂ થયું હતું. અને ખાસ કરીને ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટએ પણ દેશ તેમજ વિદેશના નામી ઉદ્યોગપતિઓ માટે ગાંધીનગરના દ્વાર ઉઘાડયાં છે.

ગાંધીનગરની સ્થાપના બાદ તારીખ પહેલી મે 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. સચિવાલય તથા અન્ય કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત બની ચુકી છે.

શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે. ગાંધીનગરની સ્થાપના રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના એક વિચારના કારણે શકય બની હતી. ગાંધીનગરના સ્થાપના દિવસે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Read the Next Article

અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે

New Update
Panoli Industries Association
વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર સતત 26 વર્ષે પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે. પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી. 
જેમાં પ્રમુખ તરીકે બી. એસ. પટેલ,માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર,ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા,ચંપાલાલ રાવલ,સહ માનદમંત્રી તરીકે ભરત પટેલ,રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો- ચેરમેન તરીકે કરણ એમ.જોલી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારોના નામ:-
૧. બી. એસ. પટેલ - પ્રમુખ
૨.  કિરણસિંહ પરમાર - માનદમંત્રી
૩. મેહબુબભાઈ ફીઝીવાલા – ઉપ પ્રમુખ એન્ડ ચેરમેન સ્પોર્ટસ, ફાયર રેસક્યુ કમિટી
૪. ચંપાલાલ રાવલ – ઉપ પ્રમુખ અને ચેરમેન જીઆઈડીસી, નોટીફાઈડ એન્ડ વોટર સપ્લાઈકમિટી
૫. ભરતભાઈ ટી. પટેલ - સહ માનદમંત્રી
૬. રાજુભાઈ મોદી - સહ માનદમંત્રી
૭. અતુલભાઈ બાવરિયા - ખજાનચી
૮. પંકજભાઈ ભરવાડા -ચેરમેન બીઝનેશ પ્રમોસન સેલ,
૯. હરેશભાઈ ડી. પટેલ – ચેરમેન પર્યાવરણ સુરક્ષા સેલ
૧૦. વિનોદભાઈ સી. જોષી—ચેરમેન લો એન્ડ ઓર્ડર કમિટી
૧૧. બિપીનભાઈ જે. પટેલ – ચેરમેન ડી.આઈ.સી.કોરડીનેશન કમીટી, એન્ડ ક્રો-ચેરમેન જી.આઈ.ડી.સી., નોટીફાઈડ એન્ડ વોટર સપ્લાઈ કમિટી
૧૨. શસીકાન્તભાઈ પટેલ – ચેરમેન ઓડીટોરીયમ એન્ડ કન્વીનર ટી.એસ.ડી.એફ. કમિટી,
૧૩. ભરતભાઈ કોઠારી – ચેરમેન ઈન્ફા પ્રોજેકટ એન્ડ સી.એસ.આર. કમિટી
૧૪. વિક્રમસિંહ મહીડા- ચેરમેન પબ્લીક રીલેશન સેલ
૧૫. અનિલભાઈ શર્મા — ચેરમેન સીકયુરીટી કમિટી
૧૬. વિક્રમભાઈ કે, પટેલ - ચેરમેન ફેક્ટરી એકટ એન્ડ લેબર લો. કમિટી
૧૭.  દિલિપભાઈ જીયાની—ચેરમેન ટેલિફોન એન્ડ ગુજરાત ગેસ કમિટી
૧૮. કિરીટસિંહ રાજ-ચેરમેન ડી.જી.વી.સી.એલ. એન્ડ કો- ચેરમેન ડી.આઈ.સી. કોરડીનેશન, કમિટી
૧૯. પરેશભાઈ આસલોટ-ચેરમેન ટ્રાન્સપોટ કમિટી
૨૦. આશિસકુમાર નાયક - ચેરમેન જી.એસ.ટી. કમિટી
૨૧. કરનભાઈ એમ. જોલી-કો-ચેરમેન ફાયર રેસકયુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલ
૨૨. નિરવભાઈ માલી- કો-ચેરમેન બીજનેસ પ્રમોસલ સેલ કમિટી
૨૩. વસ્તુપાલભાઈ શાહ-કો-ચેરમેન પબ્લીક રીલેસન સેલ એન્ડ ડી.જી.વી.સી.એલ. કમિટી
૨૪. હેમન્તભાઈ ડી. પટેલ- કો-ઓપ્ટ મેમ્બર, તથા કો-ચેરમેન સ્પોર્ટ કમિટી,
૨૫. પ્રગનેસભાઈ આર. પટેલ-કો-ઓપ્ટ મેમ્બર
૨૬. જયભાઈ બી.તેરૈયા - કો-ઓપ્ટ મેમ્બર