ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર.

New Update
ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 56મો સ્થાપના દિવસ છે. સરકારી અને રાજકીય ગતિવિધિઓના એપી સેન્ટર સમાન ગાંધીનગરની આજે કાયાપલટ થઇ ચુકી છે.

અમદાવાદથી 32 કીમીના અંતરે આવેલું ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગષ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર આજે વિવિધ પ્રોજેકટના કારણે વિશ્વ ફલક પર નામના મેળવી ચુકયું છે. ખાસ કરીને મહાત્મા મંદિર સહિતના વૈશ્વિક કક્ષાના બાંધકામોએ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. તાજેતરમાં જ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરાયું હતું.

છેલ્લા ચાર વર્ષમાં 1,300 કરોડ રૂપિયા ઉપરાંતના ચાર પ્રોજેકટે ગાંધીનગરની સુરત બદલી નાંખી છે. મહાત્મા મંદિર, ટોય મ્યુઝિયમ , કેપિટલ રેલ્વે સ્ટેશન અને ગીફટ સીટી... મહાત્મા મંદિરની સ્થાપના થયાં બાદ ગાંધીનગર ખાતે દેશ તથા વિદેશના મહાનુભવોનું અવાગમન શરૂ થયું હતું. અને ખાસ કરીને ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટએ પણ દેશ તેમજ વિદેશના નામી ઉદ્યોગપતિઓ માટે ગાંધીનગરના દ્વાર ઉઘાડયાં છે.

ગાંધીનગરની સ્થાપના બાદ તારીખ પહેલી મે 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. સચિવાલય તથા અન્ય કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત બની ચુકી છે.

શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે. ગાંધીનગરની સ્થાપના રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના એક વિચારના કારણે શકય બની હતી. ગાંધીનગરના સ્થાપના દિવસે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.