ગીર સોમનાથ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન,વિકાસલક્ષી કાર્યનું કર્યું ભૂમિ પૂજન.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું.

New Update
  • સોમનાથ મહાદેવની શરણમાં કેન્દ્રીય ગૃહમંત્રી

  • જળાભિષેક સાથે સોમેશ્વર પૂજા અર્ચના કરી

  • સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણ સાથે ભૂમિપૂજન કર્યું

  • ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખૂલશે

  • અન્નદાતા હવે ઉર્જાદાતા બની ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર બનશે

Advertisment

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે,આ તબક્કે તેઓએ પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન ચરણ કર્યું હતું.જ્યારે કોડીનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ધર્મપત્ની સાથે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુદ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કેઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને 10 હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.

આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જતે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી 'અન્નદાતાકહેવાય છેતે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો 'ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસરબની 'ઉર્જાદાતાપણ બનવાના છે.

તાલાલાકોડીનાર અને વલસાડ સુગર મિલો સાથે દસ હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જીવિત થઈ છે. ખાંડના ઉત્પાદન સાથે રૂપિયા 600 કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવિક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે.

Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં