સાબરકાંઠા: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક

સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે

New Update

સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મબલખ ઉત્પાદન

Advertisment

હિંમતનગર મારર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક

સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

રોજની 800 જેટલી બોરીની આવક

રૂ.1000 થી 1600 સુધીના ભાવ મળ્યા

સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે
Advertisment
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સિઝન દરમિયાન ૩૦૦૯૮૪ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે જેમાં અંદાજીત ૭૫૩૨૮ હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે.છેલ્લા એક અઠવાડીયાથી ખુલ્લી હરાજી શરૂ થઈ છે શરૂઆતમાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વેચવા જતા ભાવ પણ સારા મળી રહે છે તો આ ઉપરાંત ખેડુતોને પણ ફાયદો થઈ રહ્યો છે.આમ તો ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે.આ વર્ષે એક તો વરસાદ અને વાતાવરણમાં વારંવાર પલટો વિવિધ રોગ, ડોર, સુદ અને કાતરાના ઉપદ્રવને લઈને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે જેથી ખેડુતો આ ભાવ પોષાય તેમ નથી હજુ પણ ભાવ વધે તો ખેડુતોને ફાયદો થાય તેમ છે...
ચાલુ સાલે આમ તો શરૂઆતમાં મગફળીના ૧૦૦૦ થી ૧૬૦૦ સુધીના ભાવ મળી રહ્યા છે સરકારના ટેકા ના ભાવ કરતા સારા ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવ મળી રહ્યા છે. છેલ્લા ૬ દિવસથી રોજની ૭૦૦ થી ૮૦૦ બોરી મગફળીની આવક થાય છે.
Advertisment
Read the Next Article

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનનું “સેવાકાર્ય”, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કર્યું

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાન દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સેવાકાર્ય

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું

  • શિશુ-1થી ધો-12ના સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

  • વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ

  • જરૂરિયાતમંદોને વ્હીલચેરબેડ-વોકરની પણ સુવિધા મળશે 

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છેત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શિશુ-1થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેરબેડ અને વોકરની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનએ જણાવ્યુ હતું.

Advertisment