Connect Gujarat
ગુજરાત

'ગુજરાત કોંગ્રેસ મિશન 2022': અશોક ગેહલોત 10 ઓગસ્ટથી 2 દિવસ અમદાવાદ પ્રવાસે..!

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ને લઈ દરેક રાજકીય પાર્ટી સક્રિય થઈ છે ત્યારે અનેક દિગ્ગજોના પણ ગુજરાતમાં ધામા વધી ગયા છે.

ગુજરાત કોંગ્રેસ મિશન 2022: અશોક ગેહલોત 10 ઓગસ્ટથી 2 દિવસ અમદાવાદ પ્રવાસે..!
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ને લઈ દરેક રાજકીય પાર્ટી સક્રિય થઈ છે ત્યારે અનેક દિગ્ગજોના પણ ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત મિશન 2022 માટે 10 ઓગસ્ટથી 2 દિવસના અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.

અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ અમદાવાદ આવીને લોકસભાના નિરીક્ષકોને સોંપાયેલી જવાબદારીનો રીવ્યુ કરશે. તો સાથે ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠક પણ કરશે. પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે ગેહલોત બેઠક કરશે. અગાઉ 2 વખત ગેહલોતનો પ્રવાસ મુલતવી રહ્યા હતો. જો કે, આ વખતે ગેહલોતના પ્રવાસ બાદ મોટી ખબર સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. આથી, ગેહલોત ઉમેદવાર મામલે જરૂરી સૂચના આપશે. કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે. છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલ્યું છે. આથી, કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે

Next Story