Connect Gujarat
ગુજરાત

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

કોરોના સંક્રમિત થયાં બાદ તેમને ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
X

ભીલોડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા. નોંધનીય છે કે,ગત જાન્યુઆરી મહિનામાં કોરોનાગ્રસ્ત થયાં હતા ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમિત થયાં બાદ તેમને ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે લાંબી સારવાર બાદ તેમનું ચેન્નાઈ ખાતે નિધન થતાં સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અનિલ જોષીયારા નો જન્મ 24 એપ્રિલ 1953 ના રોજ ભિલોડામાં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીની બી.જે મેડિકલ કોલેજમાંથી MBBS ના અભ્યાસ કર્યો હતો અને બાદમાં MS (સર્જન) પણ થયા હતા. તેમના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો 1995માં પ્રથમ તેઓ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા ત્યાર બાદ 2002થી સતત ભિલોડા બેઠકથી ધારાસભ્યપદે ચૂંટાઈ આવતા હતા.અનિલ જોષીયારાની સારવાર માટે રાજ્ય સરકારે 1 કરોડ રૂપિયાની મદદ કરી હતી .

Next Story