Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલને મળી મોટી રાહત, જામનગરના વિવાદાસ્પદ ભાષણના કેસમાં કોર્ટે કર્યા નિર્દોષ જાહેર

જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિગરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવ્યો છે.

હાર્દિક પટેલને મળી મોટી રાહત, જામનગરના વિવાદાસ્પદ ભાષણના કેસમાં કોર્ટે કર્યા નિર્દોષ જાહેર
X

જામનગર કોર્ટમાં ચાલી રહેલા વિગરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવ્યો છે. 2017ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી, જેમાં પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ઘેડિયા નિર્દોષ જાહેર થયા છે.

આ કેસની વિગત એવી હતી કે 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજાઈ હતી. એ સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને એમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ થઈ હતી. એને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડિ.ચીફ જૂડી.મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશિદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે. જાન્યુઆરી મહિનામાં જામનગર જ્યુડિશિયલ કોર્ટમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી હતી.2017માં પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. એને લઇ હાર્દિક પટેલે ગયા મહિને પોતાના વકીલ સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી હતી.

Next Story