જામનગર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં ભવ્ય યોગ સંવાદ યોજાયો
જામનગર ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ રાજપૂતની ઉપસ્થિતિમાં ભવ્ય યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર ટાઉન હોલ ખાતે યોજાયેલ ભવ્ય યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમમાં યોગની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેઓને સ્મૃતિભેટ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતા વાળા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર મહામત્રી વિજયસિંહ મેરામણ, જીલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, વાલસુરા કમાન્ડો ઓફિસર આરોગ્ય ભારતી, નવાનગર બેન્કના ચેરમેન આર.કે.શાહ, અખિલ ભારતીય રાજપૂત સમાજના અધ્યક્ષ ગોવુંભા જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી.જાડેજા સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.