જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ

જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે

New Update
જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ

જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે તેમજ જે આવક છે તેને સાંજ સુધીમાં હરાજી કરી નાખવા સૂચના આપવામાં આવી છે.

જામનગરમાં હવામાન ખાતાની માવઠાની તારીખ 4 માર્ચથી 8 માર્ચ સુધીની આગાહીના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જે જણસો ઉતારવામાં આવે છે જેમ કે લસણ, મગફળી, એરંડા, ધાણા, કપાસ, ઘઉં અને ડુંગળી જેવી તમામ આવક આજે સવારથી સદંતર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી છે તેમજ હાલ જે માલ ખુલ્લામાં પડ્યો છે તેની આજે હરાજી કરી તે માલ વેપારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવશે અને સલામત સ્થળે રાખી દેવામાં આવશે તેમજ વેપારીઓને પણ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે વેપારીઓનો ખરીદેલ માલ જે ખુલ્લામાં પડ્યો હોય તે વરસાદના કારણે કોઈપણ પ્રકારનો બગાડ ના થાય તે પ્રમાણે સલામત સ્થળે રાખી દેવા સૂચના આપવામાં આવી છે

Read the Next Article

અંકલેશ્વર : ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે  પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યકર્તા

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

New Update
  • 23 જૂન શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ 

  • ભાજપે કરી શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ

  • શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે આપી શ્રદ્ધાંજલિ 

  • વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની કરાઈ શરૂઆત

  • કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા  

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણી, રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રી મંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.આ ઉપરાંત મોદી સુશાશનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ,પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.