જામનગર : શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલન યોજાયું, 950 બહેનો જોડાયા....

શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
જામનગર : શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલન યોજાયું, 950 બહેનો જોડાયા....

જામનગરમાં શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 950 જેટલી ઉત્સાહી બહેનો જોડાયા હતા.

નારી તું નારાયણી એ કહેવતને આજે આપણા દેશની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. ત્યારે નારી શક્તિને ઉજાગર કરતો કાર્યક્ર્મ જામનગર ખાતે યોજાયો હતો. શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 950 જેટલી ઉત્સાહી બહેનો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા પ્રદર્શનીના ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. નારી સંમેલન સમિતિની 30થી વધુ બહેનોની અનેક દિવસોની અથાગ મહેનતના ફળ રૂપે આ કાર્યક્ર્મ પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અંતે સમૂહ ભોજન લઈને અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૌ આધારિત વસ્તુઓ તથા રાષ્ટ્રીય, સામાજિક તથા સ્ત્રીઓને લગતા વિષયો માટેના ઉતમ સાહિત્યના પુસ્તકો પણ વેચાણ માટે રાખેલ હતા, જેનો અનેક બહેનોએ લાભ લીધો હતો.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.