જુનાગઢ : ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને 2 શખ્સો “THAR” કાર ઉઠાવી ગયા, પોલીસે કરી ધરપકડ...

અત્યાર સુધી આપણે સોના-ચાંદીના દાગીનાની લૂંટ તેમજ પૈસાની લૂંટ વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે કારની લૂંટ થઈ છે. જીહા, આવી જ એક ઘટના જુનાગઢમાં બની છે.

New Update
  • આજકાલ જોવા મળી રહ્યો છે થાર ગાડીનો જબરો ક્રેશ

  • ભેસાણ નજીક શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવ્યા 2 શખ્સો

  • ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને 2 શખ્સો THAR ઉઠાવી ગયા

  • સોના-ચાંદી-રોકડ સામે હવે કારની પણ થઈ રહી છે લૂંટ

  • CCTVના આધારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી

Advertisment

અત્યાર સુધી આપણે સોના-ચાંદીના દાગીનાની લૂંટ તેમજ પૈસાની લૂંટ વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે કારની લૂંટ થઈ છે. જીહાઆવી જ એક ઘટના જુનાગઢમાં બની છે. જેમાં પોલીસે થાર ગાડીની લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજકાલ બજારમાં થાર ગાડીનો જબરો ક્રેશ જોવા મળી રહ્યો છેત્યારે જુનાગઢના ભેસાણ રોડ પર આવેલા કંપનીના શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવેલા 2 શખ્સો થાર ગાડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાઅને જે અંગેની જાણ કંપનીના સેલ્સમેન દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે CCTVના આધારે આ બન્ને શખ્સોની ધરપકડ કરી છે. કંપની શો રૂમના સેલ્સ મેનેજર આનંદ ઠાકરે તાલુકા પોલીસ મથકમાં મહેશ ખોડભાયા અને બાવનજી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

મહેશ ખોડભાયા નામનો શખ્સ શોરૂમ ઉપર આવેલો અને થાર ગાડી નં. GJ-03-LR-3270ની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે નિકળ્યો હતો. સાથે શો-રૂમના સેલ્સમેન અર્ષીલ સોઢા ગાડીમાં ગયો હતો. રસ્તામાં મહેશ ખોડભાયાએ ગાડી રાજકોટ હાઇવે ઉપર ચડાવી વડાલ બ્રિજ પાસેથી તેના એક મિત્ર બાવનજીને બેસાડ્યો અને ગાડી ભેંસાણ રોડ ઉપર ચડાવી હતી. અહી આવેલી નોબલ કોલેજના ગેટ પાસે સિક્યુરીટી સ્ટાફ સાથે માથાકૂટ કરીને મેદાનમાં ચક્કર લગાવતા સિક્યુરીટીએ ઘેરી લીધો હતોત્યારે મહેશે છરી બતાવી સેલ્સમેન અર્ષીલને મારી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી બન્ને શખ્સો જુનાગઢ તરફ ભાગ્યા હતા. જે અંગે અર્ષીલે તુરંત મેનેજર આનંદને ફોન કરીને જાણ કરતા તેઓએ દોલતપરા સુધી પીછો કર્યો હતો. પરંતુ બન્ને શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરી ફરિયાદ કરતા પોલીસે નેત્રમ CCTVની મદદથી મહેશ ખોડભાયા નામના શખ્સને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment