જુનાગઢ : મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ થયા લાલઘૂમ, કહ્યું : કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે..!

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

New Update
  • આગામી સમયમાં મનપા-પાલિકાઓની યોજાશે ચૂંટણી

  • સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રીનું નિવેદન

  • કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે : રાઘવજી પટેલ

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવાદેવા હોતા નથી. આ મામલામાં જે કોઈપણ કૌભાંડી ભાજપના હોય કેકોંગ્રેસના તેઓને બક્ષવામાં નહીં આવે. તેમજ આવી કોઈપણ પ્રવૃત્તિ સાખી નહીં લેવાય અને તેમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સમગ્રબેઠકદરમ્યાનસાંસદ રાજેશ ચુડાસમાધારાસભ્ય ભગવાનજી કરગઠિયાઅરવિંદ લાડાણીજિલ્લા કલેક્ટર સહિતનાઆગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.