જુનાગઢ : મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ થયા લાલઘૂમ, કહ્યું : કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે..!

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

New Update
Advertisment
  • આગામી સમયમાં મનપા-પાલિકાઓની યોજાશે ચૂંટણી

  • સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રીનું નિવેદન

  • કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે : રાઘવજી પટેલ

Advertisment

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવાદેવા હોતા નથી. આ મામલામાં જે કોઈપણ કૌભાંડી ભાજપના હોય કેકોંગ્રેસના તેઓને બક્ષવામાં નહીં આવે. તેમજ આવી કોઈપણ પ્રવૃત્તિ સાખી નહીં લેવાય અને તેમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર બેઠક દરમ્યાન સાંસદ રાજેશ ચુડાસમાધારાસભ્ય ભગવાનજી કરગઠિયાઅરવિંદ લાડાણીજિલ્લા કલેક્ટર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories