જુનાગઢ : JCBના ઘાથી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી, 3 લોકોનું દાઝી જતા મોત...

જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા,

New Update
  • ઝાંઝરડા ચોકડી પર પોલીસ ચેક પોસ્ટ નજીકની ઘટના

  • મનપા દ્વારા જેસીબી વડે ખોદકામ વેળાની ઘટના

  • ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ફાટી નીકળી હતી આગ

  • દાઝી જતા 3 લોકોને મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

  • બનાવના પગલે ફાયર ફાઈટરો-પોલીસ કાફલો દોડ્યો

Advertisment
જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ પર પોલીસ ચેક પોસ્ટ પાસે મનપા દ્વારા થઈ રહેલા જેસીબી વડે ખોદકામ દરમ્યાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આગ ભભૂકંતા 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુમાં 5 જેટલા વાહનો આગમાં ખાખ થયા હતા. તો બીજી તરફ, જુનાગઢ મનપાની બેદરકારીથી અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
જોકે, આ ઘટનામાં 40 વર્ષીય શૈલેષ સોલંકી, 38 વર્ષીય રુપી સોલંકી તેમજ 3 વર્ષીય બાળકી ભક્તિ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ  સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જુનાગઢ મનપાની સંકલન વગરની કામગીરી શહેરમાં આડેધડ ચાલી રહી છે. ચોમાસુ આવી રહ્યું છે, ત્યારે શહેરમાં રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી. આડેધડ ખોદકામો ચાલી રહ્યા છે. મસમોટા ખાડાઓમાં હજુ પણ અન્ય અકસ્માતો થાય તેવી લોકોમાં ભીતિ સેવાઇ રહી છે.
Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment