જુનાગઢ : વન વિભાગમાં નોકરીની લાલચ આપી રૂ. .4.50 લાખની છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.

New Update
  • કેશોદમાં યુવાનોને નોકરીની લાલચ મોંઘી પડી

  • ભેજાબાજોએ વન ખાતામાં નોકરી આપી લાલચ

  • RFOની નોકરીની લાલચે યુવાનોને છેતરી લીધા

  • 4 ભેજાબજ શખ્સોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા

  • પોલીસે ચારેય ભેજાબાજોની ધરપકડ કરી લીધી

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાંRFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા. જેમાં પોલીસે છેતરપિંડી કરનાર 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય 2 યુવાનોને વન વિભાગમાં ક્લાસ-2 એટલે કેરેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 75 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખવિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દિપક શામલાલ સેન નામના શખ્સોએGPSના ખોટા ઈ-મેલ આઇડીમાંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઇન્ટરવ્યૂ માટેના ખોટા ઈમેલ મોકલ્યા હતાઅને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.

એટલું જ નહીંઆ ભેજાબાજ શખ્સોએ ફરિયાદી તથા અન્ય શખ્સો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં નાથા લાખાભાઈ સોલંકી મારફત ફરિયાદીના પુત્ર જીતુ સોલંકીપરબત પિઠીયાના દીકરા નયન તેમજ ખીમજી સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપી હતી. જેમાં એક યુવાન દીઠ 25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા. નક્કી થયા મુજબ પ્રથમ સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતાઅને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતોતારે હાલ તો પોલીસે ચારેય ભેજાબાજ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.