જુનાગઢ : વન વિભાગમાં નોકરીની લાલચ આપી રૂ. .4.50 લાખની છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.

New Update
  • કેશોદમાં યુવાનોને નોકરીની લાલચ મોંઘી પડી

  • ભેજાબાજોએ વન ખાતામાં નોકરી આપી લાલચ

  • RFOની નોકરીની લાલચે યુવાનોને છેતરી લીધા

  • 4 ભેજાબજ શખ્સોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા

  • પોલીસે ચારેય ભેજાબાજોની ધરપકડ કરી લીધી

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા. જેમાં પોલીસે છેતરપિંડી કરનાર 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા કાળુ કરસનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય 2 યુવાનોને વન વિભાગમાં ક્લાસ-2 એટલે કેરેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા 75 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂપિયા સાડા ચાર લાખ ફરિયાદીઓ પાસેથી લઈને આરોપી બાબુ ધનજી રાખવિનોદ ઉર્ફે વિનય બાબુલાલ ગઢવી અને દિપક શામલાલ સેન નામના શખ્સોએ GPSના ખોટા ઈ-મેલ આઇડીમાંથી રિક્રુટમેન્ટ ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નામે ઇન્ટરવ્યૂ માટેના ખોટા ઈમેલ મોકલ્યા હતાઅને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.

એટલું જ નહીંઆ ભેજાબાજ શખ્સોએ ફરિયાદી તથા અન્ય શખ્સો પાસેથી વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. જેમાં નાથા લાખાભાઈ સોલંકી મારફત ફરિયાદીના પુત્ર જીતુ સોલંકીપરબત પિઠીયાના દીકરા નયન તેમજ ખીમજી સોલંકીના પુત્ર ગૌતમ આ ત્રણેયને વન વિભાગમાં સરકારી નોકરીએ લગાડી દેવાની લાલચ આપી હતી. જેમાં એક યુવાન દીઠ 25 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા હતા. નક્કી થયા મુજબ પ્રથમ સાડા ચાર લાખ રૂપિયા આપ્યા હતાઅને ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતોતારે હાલ તો પોલીસે ચારેય ભેજાબાજ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.