જૂનાગઢ : ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી,તો માથાભારે શખ્સોના ત્રાસથી રહીશોએ મકાન વેચવા કાઢ્યા!

જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • માથાભારે શખ્સોના ત્રાસથી સ્થાનિકો પરેશાન

  • રહીશોએ મકાન વેચવા કાઢવાના બેનરો લગાવ્યા

  • 25થી વધુ રહીશોએ મકાન પર લગાવ્યા બેનર 

  • સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણથી લોકો પરેશાન

  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ     

ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,તો બીજી તરફ જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા એક તરફથી અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કડક પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ અને લવકુશ નગરમાં સોસાયટીના રહીશો દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે,જેમાં સાર્વજનિક પ્લોટમાં ગંદકીને કારણે ગમે તેને મકાન વેચવાનું છે,તેવા બેનરો લગાવીને રજૂઆતો કરવામાં આવી છે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના 25 થી વધારે બ્લોકના રહેવાસીઓ દ્વારા પોતાના મકાન પર આવા બેનર અને માથાભારે શખ્સ સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે,પરંતુ કોઈ પણ કામગીરી ન થતા અંતે લોકો કંટાળીને મકાન વેચવા અને હિજરત કરવા મજબૂર બન્યા છે.જો આ અંગે તાત્કાલિક કોઈ ઉકેલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આ માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર સાર્વજનિક પ્લોટમાં દબાણ કરીને JCB ટ્રેક્ટર સહિતના ભારેખમ વાહનો રાખવામાં આવ્યા છે,તેમજ ગંદકીથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.

 

Read the Next Article

ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત

વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા

  • સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ

  • સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે

  • સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ

  • શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.