જૂનાગઢ : ગુજરાતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી,તો માથાભારે શખ્સોના ત્રાસથી રહીશોએ મકાન વેચવા કાઢ્યા!

જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • માથાભારે શખ્સોના ત્રાસથી સ્થાનિકો પરેશાન

  • રહીશોએ મકાન વેચવા કાઢવાના બેનરો લગાવ્યા

  • 25થી વધુ રહીશોએ મકાન પર લગાવ્યા બેનર 

  • સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણથી લોકો પરેશાન

  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરાઈ માંગ     

Advertisment

ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,તો બીજી તરફ જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા એક તરફથી અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો સામે કડક પગલા ભરવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ અને લવકુશ નગરમાં સોસાયટીના રહીશો દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે,જેમાં સાર્વજનિક પ્લોટમાં ગંદકીને કારણે ગમે તેને મકાન વેચવાનું છે,તેવા બેનરો લગાવીને રજૂઆતો કરવામાં આવી છે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના 25 થી વધારે બ્લોકના રહેવાસીઓ દ્વારા પોતાના મકાન પર આવા બેનર અને માથાભારે શખ્સ સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે,પરંતુ કોઈ પણ કામગીરી ન થતા અંતે લોકો કંટાળીને મકાન વેચવા અને હિજરત કરવા મજબૂર બન્યા છે.જો આ અંગે તાત્કાલિક કોઈ ઉકેલ કરવામાં નહીં આવે તો સ્થાનિકો આ માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર સાર્વજનિક પ્લોટમાં દબાણ કરીને JCB ટ્રેક્ટર સહિતના ભારેખમ વાહનો રાખવામાં આવ્યા છે,તેમજ ગંદકીથી આજુબાજુના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.

 

Advertisment
Read the Next Article

સાબરકાંઠા : તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીની હરાજીમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા..!

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકે, સત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

New Update
  • તલોદ માર્કેટ યાર્ડમાં શરૂ કરવામાં આવી હતી હરાજી

  • હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા

  • નીચા ભાવથી બોલી શરૂ કરાતાં ખેડૂતો નિરાશ થયા

  • આખરે માર્કેટયાર્ડના સત્તાવાળાએ કરી દરમિયાનગીરી

  • ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી

Advertisment

સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા તલોદ માર્કેટયાર્ડમાં હરાજીમાં બાજરીના ઓછા ભાવ બોલાતા ખેડૂતો વિફર્યા હતા. જોકેસત્તાવાળાઓએ દરમિયાનગીરી કરી ફરીથી હરાજી શરૂ કરાવતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

સાબરકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં બાજરીની હરાજી શરૂ થતાની સાથે જ વેપારીઓએ એકસંપ કરીને ઉનાળુ બાજરીનો ભાવ ખૂબ જ નીચો બોલીને હરાજીમાં ભાગ લેતા કેટલાક ખેડૂતોએ હોબાળો મચાવીને હરાજીનું કામકાજ અટકાવી દીધું હતું. જોકેખેડૂતોએ કરેલા હોબાળા અંગે માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને જાણ થયા બાદ ખેડૂતો અને વેપારીઓ સાથે દરમિયાનગીરી કરી ફરીથી હરાજીનું કામકાજ શરૂ કરાવ્યુ હતું. તલોદ ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ટેકાના ભાવે બાજરી ખરીદી કરવા માટે કેન્દ્રનો પ્રારંભ કર્યો છે. જેમાં સરકારે ઉનાળુ બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ અંદાજે રૂપિયા 585 નક્કી કર્યો છે.

દરમિયાન ગુરૂવારે તલોદ માર્કેટયાર્ડમાં તાલુકા સહિત અન્ય સ્થળેથી ઉનાળુ બાજરી વેચવા માટે અનેક ખેડૂતો વાહનો લઇને લાઇનમાં ઉભા થઇ ગયા હતા. તો બીજી તરફવેપારીઓએ એકસંપ થઇને ઉનાળુ બાજરીની ગુણવત્તા ચકાસ્યા વગર પ્રતિ 20 કિલો બાજરીનો ભાવ અંદાજે રૂપિયા 400થી હરાજી શરૂ કરવાને બદલે કેટલાક વેપારીઓએ રૂપિયા 200થી 250નો ભાવ બોલી હરાજી શરૂ કરી હતી. જેને લઇને ઉપસ્થિત ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ વેપારીઓની મનમાની સામે તલોદ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા આગળ કેટલાક ટ્રેક્ટરો ઉભા કરી દઇને આડશ ગોઠવી દીધી હતી. ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત કર્મચારીઓએ વેપારીઓ તથા ખેડૂતો સાથે વાતચીત કરી હતીજ્યાં ખેડૂતો પાસેથી બાજરી ખરીદવા માટે અંદાજે 20 કિલોનો ભાવ રૂપિયા 400થી શરૂ કરીને રૂપિયા 520 સુધીનો બોલીને બાજરીની ખરીદી કરી હતી.

Advertisment