જુનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓને અંતિમ ઓપ આપતું વહીવટી તંત્ર...

આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

New Update
  • ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમાની પુરજોશમાં તૈયારી

  • અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા

  • તંત્ર દ્વારા રોડપાણી અને લાઈટો તેમજ દવાખાનાની વ્યવસ્થા

  • પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ નહીં પડે તેવું આયોજન કરાયું

  • પરિક્રમા વેળા જોવા મળશે ભજનભોજનભક્તિનો ત્રિવેણી સંગમ

આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જુનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છેઅને પુણ્યનું ભાથું બાંધે છે. કહેવાય છે કેદેવ ઉઠી અગિયારસના દિવસે તમામ દેવતાઓ ગિરનારમાં જાગે છે. આ દરમ્યાન તેમની પરિક્રમા કરીએ તો મોટું પુણ્ય મળે તેવી લોકવાયકા પણ રહેલી છે. હાથમાં લાકડી અને પગપાળા જતા ભક્તોમાં વડીલ-વૃદ્ધોયુવાનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે.

આગામી તા. 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છેત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તો માટે રોડ-રસ્તાપીવાના પાણીશૌચાલય તેમજ હંગામી દવાખાનાને લઈને તૈયારી કરવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં 36 કિલોમોટરના રૂટ પર વિવિધ અન્નક્ષેત્રો પણ કાર્યરત કરવામાં આવનાર છે. આ અન્નક્ષેત્રોમાં શાકભાજીથી લઈને અનાજકરીયાણું પહોંચાડવામાં આવ્યું છે. ગિરનાર પરિક્રમા દરમ્યાન મોટી સંખ્યામાં સાધુ-સંતો આવતા હોય છેત્યારે અહીં ભજનભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ વચ્ચે સાધુ-સંતો પણ ધુણા ધખાવી ભક્તિમાં લીન બન્યા છે.

ગિરનારની પરિક્રમા દરમ્યાન જીના બાવાની મઢી ખાતે પહેલો પડાવ હોય છે. હાલ ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છેતો પરિક્રમા રૂટ ઉપર વન વિભાગ દ્વારા પણ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.  પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ હોય તેની કડક અમલવારી કરવામાં આવશે. જોકેવન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને ઇકો ફ્રેન્ડલી 1 લાખ થેલીનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPR તાલીમ પણ અપાય છે. પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કેહૃદય બંધ પડી જવાની સ્થિતિમાં CPR  દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છેત્યારે લીલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.