જુનાગઢ : ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓને અંતિમ ઓપ આપતું વહીવટી તંત્ર...

આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

New Update
  • ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમાની પુરજોશમાં તૈયારી

  • અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા

  • તંત્ર દ્વારા રોડપાણી અને લાઈટો તેમજ દવાખાનાની વ્યવસ્થા

  • પરિક્રમાવાસીઓને કોઈ તકલીફ નહીં પડે તેવું આયોજન કરાયું

  • પરિક્રમા વેળા જોવા મળશે ભજનભોજનભક્તિનો ત્રિવેણી સંગમ

આગામી તા. 12 નવેમ્બરથી જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

જુનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છેઅને પુણ્યનું ભાથું બાંધે છે. કહેવાય છે કેદેવ ઉઠી અગિયારસના દિવસે તમામ દેવતાઓ ગિરનારમાં જાગે છે. આ દરમ્યાન તેમની પરિક્રમા કરીએ તો મોટું પુણ્ય મળે તેવી લોકવાયકા પણ રહેલી છે. હાથમાં લાકડી અને પગપાળા જતા ભક્તોમાં વડીલ-વૃદ્ધોયુવાનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય છે.

આગામી તા. 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ગિરનાર પરિક્રમા યોજાવા જઇ રહી છેત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તો માટે રોડ-રસ્તાપીવાના પાણીશૌચાલય તેમજ હંગામી દવાખાનાને લઈને તૈયારી કરવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં 36 કિલોમોટરના રૂટ પર વિવિધ અન્નક્ષેત્રો પણ કાર્યરત કરવામાં આવનાર છે. આ અન્નક્ષેત્રોમાં શાકભાજીથી લઈને અનાજકરીયાણું પહોંચાડવામાં આવ્યું છે. ગિરનાર પરિક્રમા દરમ્યાન મોટી સંખ્યામાં સાધુ-સંતો આવતા હોય છેત્યારે અહીં ભજનભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ વચ્ચે સાધુ-સંતો પણ ધુણા ધખાવી ભક્તિમાં લીન બન્યા છે.

ગિરનારની પરિક્રમા દરમ્યાન જીના બાવાની મઢી ખાતે પહેલો પડાવ હોય છે. હાલ ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છેતો પરિક્રમા રૂટ ઉપર વન વિભાગ દ્વારા પણ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.  પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ હોય તેની કડક અમલવારી કરવામાં આવશે. જોકેવન વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને ઇકો ફ્રેન્ડલી 1 લાખ થેલીનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવશે. ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગીCPR તાલીમ પણ અપાય છે. પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કેહૃદય બંધ પડી જવાની સ્થિતિમાંCPR  દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છેત્યારે લીલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.