New Update
રિક્ષા ચાલક પિતાની પુત્ર માટે સાહસિક યાત્રા
અસાધ્ય રોગથી પીડાતા પુત્ર માટે પિતાની પદયાત્રા
પુત્રની તબિયત સારી થતા બાધા પૂરી કરવા પિતા પદયાત્રાએ નીકળ્યા
પિતા પગપાળા ખેડીને 52 દિવસમાં અયોધ્યા પહોંચશે
ભગવાન શ્રી રામના દરબારમાં શીશ ઝુકાવી કરશે પ્રાર્થના
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ત્યાર પછી તબિયત સુધરી અને સાજો થઈ ગયા બાદ બધા પૂરી કરવા માટે પિતા અયોધ્યા પગપાળા જવા નીકળ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.
ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.
બાળકને દાખલ કર્યા બાદ પિતા અક્ષયએ મનમાં સંકલ્પ લીધો કે જો દીકરો બે દિવસમાં સાજો થઈ જશે તો હું પગપાળા અયોધ્યા રામ મંદિર જઈશ. ભગવાન શ્રી રામની કૃપા થી દીકરો બે જ દિવસમાં સાજો થઈ જતા પિતાએ 5 નવેમ્બર 2024ના રોજ કલોલથી ચાલવાનું શરૂ કરી રોજના 25 થી 40 કિમીનું અંતર કાપી હિંમતનગર મુકામે આવી પહોંચ્યા હતા.જ્યાં મોતીપુરા પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ વતી જિલ્લા મંત્રી હિતેશ પટેલે ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું હતું. કલોલથી અયોધ્યા 1352 કિમીનું અંતર આગામી 52 દિવસમાં પૂર્ણ કરી બાધા પૂર્ણ કરવાનું એમનું લક્ષ્યાંક છે.