કલોલના રિક્ષા ચાલક પિતાએ દિકરાની તબિયત સુધરતા બાધા પૂરી કરવા માટે પગપાળા અયોધ્યા જવા નીકળ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.

New Update
  • રિક્ષા ચાલક પિતાની પુત્ર માટે સાહસિક યાત્રા 

  • અસાધ્ય રોગથી પીડાતા પુત્ર માટે પિતાની પદયાત્રા 

  • પુત્રની તબિયત સારી થતા બાધા પૂરી કરવા પિતા પદયાત્રાએ નીકળ્યા

  • પિતા પગપાળા ખેડીને 52 દિવસમાં અયોધ્યા પહોંચશે

  • ભગવાન શ્રી રામના દરબારમાં શીશ ઝુકાવી કરશે પ્રાર્થના 

Advertisment
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ત્યાર પછી તબિયત સુધરી અને સાજો થઈ ગયા બાદ બધા પૂરી કરવા માટે પિતા અયોધ્યા પગપાળા જવા નીકળ્યા હતા. 

ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.
બાળકને દાખલ કર્યા બાદ પિતા અક્ષયએ મનમાં સંકલ્પ લીધો કે જો દીકરો બે દિવસમાં સાજો થઈ જશે તો હું પગપાળા અયોધ્યા રામ મંદિર જઈશ. ભગવાન શ્રી રામની કૃપા થી દીકરો બે જ દિવસમાં સાજો થઈ જતા પિતાએ 5 નવેમ્બર 2024ના રોજ કલોલથી ચાલવાનું શરૂ કરી રોજના 25 થી 40 કિમીનું અંતર કાપી હિંમતનગર મુકામે આવી પહોંચ્યા હતા.જ્યાં  મોતીપુરા પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ વતી જિલ્લા મંત્રી હિતેશ પટેલે ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું હતું. કલોલથી અયોધ્યા 1352 કિમીનું અંતર આગામી 52 દિવસમાં પૂર્ણ કરી બાધા પૂર્ણ કરવાનું એમનું લક્ષ્યાંક છે.
Advertisment
Read the Next Article

બનાસકાંઠામાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનીને BSFએ ઠાર કર્યો, પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઈસમની કચ્છથી ધરપકડ, હર્ષ સંઘવીના ગુજરાત ATSને અભિનંદન...

ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફ, ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી

New Update
  • બનાસકાંઠામાં ઘુસણખોરી કરતો હતો એક પાકિસ્તાની વ્યક્તિ

  • BSFના જવાનોએ ઘુસણખોરી કરતા પાકિસ્તાનીને ઠાર કર્યો

  • ગુજરાત ATS દ્વારા પણ કચ્છના દયાપરમાં કરાય કાર્યવાહી

  • પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની ATSએ ધરપકડ કરી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન આપ્યા 

Advertisment

બનાસકાંઠા જીલ્લામાં ઘુસણખોરી કરતાં પાકિસ્તાની વ્યક્તિને BSFના જવાનોએ ઠાર કર્યો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ATSને અભિનંદન પાઠવ્યા હતા.

ગત તા. 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક BSFના જવાનોએ ઠાર કર્યો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી. છતાં તે આગળ વધી રહ્યો હતો. જેથી પરિસ્થિતિ જોતાં BSFના જવાનોએ ગોળીબાર કર્યો હતો.

જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. તો બીજી તરફગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. એટલું જ નહીંપાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વીડિયો મોકલતો હતો.

ગુજરાત ATSને અભિનંદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કેયુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ PAK માટે જાસૂસીના કેસનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. લીડિંગ ટેરિરિઝમ સ્ક્વોડ સામે ગુજરાત ATS લડી રહી છેત્યારે આ જાસૂસ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફબનાસકાંઠામાં ઘૂસણખોરને ઠાર કરવા મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કેઆ બાબતે હું કોઈ ટીકા ટીપ્પણી કરવા માંગતો નથી.

Advertisment