કલોલના રિક્ષા ચાલક પિતાએ દિકરાની તબિયત સુધરતા બાધા પૂરી કરવા માટે પગપાળા અયોધ્યા જવા નીકળ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.

New Update
  • રિક્ષા ચાલક પિતાની પુત્ર માટે સાહસિક યાત્રા 

  • અસાધ્ય રોગથી પીડાતા પુત્ર માટે પિતાની પદયાત્રા 

  • પુત્રની તબિયત સારી થતા બાધા પૂરી કરવા પિતા પદયાત્રાએ નીકળ્યા

  • પિતા પગપાળા ખેડીને 52 દિવસમાં અયોધ્યા પહોંચશે

  • ભગવાન શ્રી રામના દરબારમાં શીશ ઝુકાવી કરશે પ્રાર્થના 

Advertisment
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ત્યાર પછી તબિયત સુધરી અને સાજો થઈ ગયા બાદ બધા પૂરી કરવા માટે પિતા અયોધ્યા પગપાળા જવા નીકળ્યા હતા. 

ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.
બાળકને દાખલ કર્યા બાદ પિતા અક્ષયએ મનમાં સંકલ્પ લીધો કે જો દીકરો બે દિવસમાં સાજો થઈ જશે તો હું પગપાળા અયોધ્યા રામ મંદિર જઈશ. ભગવાન શ્રી રામની કૃપા થી દીકરો બે જ દિવસમાં સાજો થઈ જતા પિતાએ 5 નવેમ્બર 2024ના રોજ કલોલથી ચાલવાનું શરૂ કરી રોજના 25 થી 40 કિમીનું અંતર કાપી હિંમતનગર મુકામે આવી પહોંચ્યા હતા.જ્યાં  મોતીપુરા પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ વતી જિલ્લા મંત્રી હિતેશ પટેલે ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું હતું. કલોલથી અયોધ્યા 1352 કિમીનું અંતર આગામી 52 દિવસમાં પૂર્ણ કરી બાધા પૂર્ણ કરવાનું એમનું લક્ષ્યાંક છે.
Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ થશે સક્રિય

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી

New Update
Heavy rains in Karnataka, Tamil Nadu, Gujarat, Maharashtra and Goa, Meteorological department issued orange alert

ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  રાજ્યમાં આવતા સપ્તાહથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.  

હવામાન  વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર અને ગીર સોમનામાં પણ વરસાદી માહોલ રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે 10 મી તારીખે અને 11મી અને 12મી તારીખે વેધર મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 

જ્યારે 13મી તારીખથી ફરી વરસાદનું જોર વધતું દેખાય છે. 13મીએ અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 14મી તારીખે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.