કલોલના રિક્ષા ચાલક પિતાએ દિકરાની તબિયત સુધરતા બાધા પૂરી કરવા માટે પગપાળા અયોધ્યા જવા નીકળ્યા

ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો.

New Update
  • રિક્ષા ચાલક પિતાની પુત્ર માટે સાહસિક યાત્રા 

  • અસાધ્ય રોગથી પીડાતા પુત્ર માટે પિતાની પદયાત્રા 

  • પુત્રની તબિયત સારી થતા બાધા પૂરી કરવા પિતા પદયાત્રાએ નીકળ્યા

  • પિતા પગપાળા ખેડીને 52 દિવસમાં અયોધ્યા પહોંચશે

  • ભગવાન શ્રી રામના દરબારમાં શીશ ઝુકાવી કરશે પ્રાર્થના 

ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ત્યાર પછી તબિયત સુધરી અને સાજો થઈ ગયા બાદ બધા પૂરી કરવા માટે પિતા અયોધ્યા પગપાળા જવા નીકળ્યા હતા. 

ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.
બાળકને દાખલ કર્યા બાદ પિતા અક્ષયએ મનમાં સંકલ્પ લીધો કે જો દીકરો બે દિવસમાં સાજો થઈ જશે તો હું પગપાળા અયોધ્યા રામ મંદિર જઈશ. ભગવાન શ્રી રામની કૃપા થી દીકરો બે જ દિવસમાં સાજો થઈ જતા પિતાએ 5 નવેમ્બર 2024ના રોજ કલોલથી ચાલવાનું શરૂ કરી રોજના 25 થી 40 કિમીનું અંતર કાપી હિંમતનગર મુકામે આવી પહોંચ્યા હતા.જ્યાં  મોતીપુરા પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ વતી જિલ્લા મંત્રી હિતેશ પટેલે ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું હતું. કલોલથી અયોધ્યા 1352 કિમીનું અંતર આગામી 52 દિવસમાં પૂર્ણ કરી બાધા પૂર્ણ કરવાનું એમનું લક્ષ્યાંક છે.
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.