-
રિક્ષા ચાલક પિતાની પુત્ર માટે સાહસિક યાત્રા
-
અસાધ્ય રોગથી પીડાતા પુત્ર માટે પિતાની પદયાત્રા
-
પુત્રની તબિયત સારી થતા બાધા પૂરી કરવા પિતા પદયાત્રાએ નીકળ્યા
-
પિતા પગપાળા ખેડીને 52 દિવસમાં અયોધ્યા પહોંચશે
-
ભગવાન શ્રી રામના દરબારમાં શીશ ઝુકાવી કરશે પ્રાર્થના
ગાંધીનગર જિલ્લાના કલોલ નિવાસી અક્ષય કાનાભાઈ મુખર્જી એક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તેઓનો ચાર વર્ષીય દિકરો રામધન અચાનક બીમાર પડતા માતા પિતા ખૂબ તણાવમાં આવી ગયા હતા.આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરો સાજો થાય એ માટે દિકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પેટ અને છાતીના ભાગમાં પાણી ભરાઈ જવાથી દિકરાને હોસ્પિટલમાં જ રાખવો પડ્યો હતો.ડોક્ટરોએ બે ત્રણ દિવસ સારવાર કરી છતાં તબિયતમાં સુધારો થયો નહતો.અને 25 હજાર જેટલો ખર્ચ થવાથી નબળી પરિસ્થિતિ હોવાથી અક્ષય ચિંતાગ્રસ્ત બની ગયો હતો.જોકે બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરાવવાનો વિચાર કર્યો હતો.