Connect Gujarat
ગુજરાત

NCP ના એક માત્ર દિગ્ગજ ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાય એવી શક્યતા

સૌરાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીએ ઓપરેશન સૌરાષ્ટ્ર પાર પાડ્યું છે. કુતિયાણાના NCP ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે.

NCP ના એક માત્ર દિગ્ગજ ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાય એવી શક્યતા
X

ગુજરાતના રાજકારણનો મોટો ખુલાસો થયો છે.સૌરાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીએ ઓપરેશન સૌરાષ્ટ્ર પાર પાડ્યું છે. સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોરબંદરના કુતિયાણાના NCP ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે.

કાંધલ જાડેજા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી છે.CM ભૂપેન્દ્ર પટેલે કાંધલ જાડેજાને સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે રાખ્યા હતા.અમિત શાહની લીલીઝંડી આવતા જ કાંધલ જાડેજા કેસરિયા કરશે. સૂત્રોએ જણાવ્યું કે, 2022 વિધાનસભાની ચૂંટણી કાંધલ જાડેજા ભાજપના બેનર સાથે લડશે. સતત 2 ટર્મ થી કાંધલ જાડેજા પોરબંદર કુતિયાણાના ધારાસભ્યપદે જીતીને આવ્યા છે. કાંધલ જાડેજા અને તેના પરિવારનો દબદબો રહ્યો છે..

કુતિયાણા પોરબંદર બેઠક પર કાંધલ જાડેજા જો ભાજપમાં જોડાય તો ભાજપને ચોક્કસ ફાયદો થશે તો બીજીબાજુ ગુજરાતના રાજકારણના અન્ય પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLA મણિલાલ વાઘેલા 24 એપ્રિલ વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. અગાઉ મણિલાલ વાઘેલા PM મોદી સાથે મુલાકાત કરી ચૂક્યા છે.PM સાથેની મુલાકાત બાદ અટકળો વહેતી થઈ હતી. વડગામ ખાતે શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાવા અંગે મણિલાલ વાઘેલાએ તૈયારીઓ આરંભી દીધી છે. રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે

Next Story