કચ્છ : કેરા-મુંદ્રા રોડ પર ખાનગી મિની બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના મોત, 4 લોકો ઘાયલ

કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા

New Update
  • ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત

  • ભયંકર અકસ્માતમાં 5 લોકોના મોત4 લોકો થયા ઘાયલ

  • બનાવના પગલે એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો

  • ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન

કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતાજ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસારકચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર આવેલ કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મિની લક્ઝરી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છેત્યારે આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાજ્યારે 4 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કેકન્ટેનર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતોજ્યારે મૃતદેહોનો ખડકલો રસ્તા પર વિખેરાયો હતો. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઓવરટેક કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફઆ ઘટનામાં મૃત્યુઆંક પણ વધવાની શક્યતા વર્તાય રહી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.