કચ્છ: માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ઉગામાયું ગુજસીટોકનું શસ્ત્ર

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.

New Update
  • માંડવી પોલીસ મથક પર હુમલાનો મામલો 

  • આરોપીઓએ કર્યો હતો પોલીસકર્મી પર હુમલો 

  • પોલીસે આરોપીઓની કરી હતી ધરપકડ

  • આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી 

  • કચ્છ પોલીસે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ કરી કાર્યવાહી  

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલો કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજા આપતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ગુનો દાખલ કરતા રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવીહરી આલા ગઢવીમોટી ભુજપુરના શામળા થારૂ ગઢવીઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) સામે ટોળકી બનાવી સંગઠિત ગુનાખોરી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા સબબ ગુજસીટોકની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી છે.આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ થકી મેળવેલી સંપત્તિ જપ્ત કરવા સહિતની વિવિધ કડક જોગવાઈ કરવામાં આવી છે. આરોપીઓ દોષી પુરવાર થશે તો જનમટીપ અથવા ફાંસીની સજા સુધીની જોગવાઈ આ એક્ટ હેઠળ કરવામાં આવશે.ગત 16 નવેમ્બરના રાત્રીના ચારે આરોપીઓએ માંડવી પોલીસ મથકમાં તલવારછરીધોકા જેવા હથિયારો સાથે આવીને પોલીસ કર્મચારી અધિકારીઓ પર હુમલો કર્યો હતો.આ કેસમાં ચાર આરોપીઓ પાલારા જેલમાં છે.ત્યારે મુખ્ય આરોપી હરિ આલા ગઢવીએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી.પરંતુ પોલીસ મથક પર અને પોલીસ કર્મીઓ પર હુમલો કરવા જેવા ગંભીર ગુનો હોય આરોપીએ શુક્રવારે જામીન અરજી પરત ખેંચી લીધી હતી.દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરીને કાયદાની લગામ કસી હતી. 

ઉલ્લેખનીય છે કે પાંચોટીયાના પુનશી ગઢવી સામે દસ વર્ષમાં 11થી વધુ ગુના નોંધાયા છે.પુનશી ગઢવીએ પાંચ વર્ષ અગાઉ પણ માંડવી પોલીસ મથકમાં પીએસઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરીને ભારે હંગામો મચાવ્યો હતો. આરોપી સામે છેલ્લા દસ વર્ષ દરમિયાન માંડવી પોલીસ મથકમાં સાત અને ભુજ બી ડિવિઝનમાં બે અને માનકુવાપાલનપુર પોલીસ સ્ટેશન મળીને કુલ 11 જેટલા ગુનોઓ નોંધાયા છે.

 

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.