વલસાડના પારડીના ગોઇમા ગામમાંથી દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં હાશકારો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં આતંક મચાવનાર દીપડો વન વિભાગની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો,ખૂંખાર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

New Update

પારડીના ગોઇમા ગામનો બનાવ 

દીપડાનો ગામમાં હતો આતંક 

દીપડાએ બકરીનું કર્યું હતું મારણ 

ગ્રામજનોમાં દીપડાનો હતો ભય 

વન વિભાગના પાંજરે દીપડો પૂરતા રાહત 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં આતંક મચાવનાર દીપડો વન વિભાગની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો,ખૂંખાર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
વલસાડ જિલ્લાના  પારડી તાલુકાના ગોઇમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.ગોઈમા ગામના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકના ત્યાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું.રાતના અંધારામાં દીપડાએ કરેલા બકરીના મારણની જાણ થતાં જ ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપી લેવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી હતી અને ગોઇમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.