વલસાડ : ધારાસભ્ય ચૈતર વસાવાએ 3 પાલિકાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવી

વલસાડ જિલ્લામાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી હતી.

New Update
  • ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વલસાડની મુલાકાતે

  • AAPના આગેવાનો અને કાર્યકરો સાથે અગત્યની બેઠકનું આયોજન

  • આવનાર વલસાડપારડીધરમપુર પાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા

  • 3 પાલિકાની ચૂંટણી AAP પાર્ટી એકલા હાથે લડશે : ચૈતર વસાવા

  • મોટી સંખ્યામાં AAPના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતી રહી

વલસાડ જિલ્લામાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ વલસાડ જિલ્લાના મહેમાન બન્યા હતાજ્યાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી અને કાર્યકર્તાઓ સાથેના સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા તેઓ વલસાડ પહોચ્યા હતા. ચૈતર વસાવાએ રણનીતીને લઈને AAPના આગેવાનો અને કાર્યકરો સાથે અગત્યની બેઠક યોજી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેનગરપાલિકાની ચૂંટણીમાં વલસાડપારડી અને ધરમપુર બેઠક પર આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે.

વલસાડ જીલ્લામાં 3 પાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી ગઠબંધનના કોઈપણ અણસાર દેખાઈ નથી રહ્યા. આ સાથે જ ઉમેદવારોની પસંદગીને લઈને પણ વર્કિંગ કમિટી સહિત તમામ ધારાધોરણ ચકાસ્યા બાદ જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેવું ચૈતર વસાવાએ જણાવ્યુ હતું. તો બીજી તરફલોકસભા દંડક ધવલ પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કેઆમંત્રણ શેનો મંચ છેએ ધવલ પટેલે જાણી લેવું જોઈએ. આદિવાસી સમાજના મંચ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કેજે દિવસે આદિવાસી સમાજની તમામ માંગો પૂર્ણ થઈ જશે તે દિવસે અમે કોઈ કઈપણ બોલીશુ નહીં.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેભ્રષ્ટાચારની વાત તો સૌથી વધારે ભ્રષ્ટાચાર ભાજપમાં જ થાય છે. રોડ-રસ્તાના ખસતા હાલ વિષે વાત કરતા તેઓએ કહ્યું હતું કેગતરોજ તેઓ આહવાથી આ વિસ્તારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન રોડની ખૂબ જ ખરાબ હાલત તેઓએ જોઈ હતી. સમગ્ર ગુજરાતમાં તમામ વિસ્તારોમાં લોકોએ આવેદન પત્ર આપ્યા છે. પરંતુ તંત્ર અને અધિકારીઓના પાપે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છેત્યારે આવનાર દિવસોમાં અમારા સંગઠન દ્વારા આ મામલે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવશે. ફ્રેઇટ કોરિડોરને લઈને પણ તેઓએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કેસરકાર દ્વારા તમામ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં જ લાવવામાં આવે છેપરંતુ જ્યારે આ વિસ્તારમાં વિકાસની વાત આવે ત્યારે સરકાર અનદેખી કરે છે. આ જ વિસ્તારના લોકોએ સિંચાઈઆરોગ્ય અને શિક્ષણ મુદ્દે આંદોલનો કરવા પડતા હોય છે.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.