ગુજરાતમાં વિધર્મી દ્વારા હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું તંત્રને આવેદન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો,

New Update

ગુજરાતમાં હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારનો મામલો

ઝઘડીયા અને નસવાડીમાંથી અત્યાચારનો કિસ્સો સામે આવ્યો

ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે આચર્યું હતું દુષ્કર્મ

નસવાડીમાં વિધર્મીની અઘટિત માંગ સામે યુવતીએ જીવન ટુકાવ્યું

બન્ને ઘટનાઓના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું આવેદન

ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતોત્યારે આ બન્ને ઘટનાઓના વિરોધમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર અર્થે ભરૂચના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવર વારંવાર બોલાવીને રાત્રી રોકાણની ફરજ પાડતો હતો. આ રાત્રી રોકાણ દરમિયાન માનસિક બીમાર મહિલા સાથે આવેલ તેની નાની બેન પર મુજાવર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતોઅને સતત શારીરિક શોષણ કરવાના કારણે આ યુવતીએ મુઝાવર વિરુદ્ધ રાજપરડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તટસ્થ તપાસ કરી મુજાવરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ થોડા દિવસ અગાઉ એક આદિવાસી યુવતી પર ત્યાંના સ્થાનિક વિધર્મી યુવાને પટાવી ફોસલાવીને તેનું જાતીય શોષણ કરવાના કારણે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધીહતીત્યારે આ બન્ને ઘટનાઓને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છેજેમાંઝઘડીયાના બાવાગોર ટ્રસ્ટને સરકારના હસ્તકમાં લઈ કાયમ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ નસવાડી જેવી ઘટનાઓમાં ષડયંત્રકારીઓની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.