ગુજરાતમાં વિધર્મી દ્વારા હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું તંત્રને આવેદન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો,

New Update

ગુજરાતમાં હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારનો મામલો

Advertisment

ઝઘડીયા અને નસવાડીમાંથી અત્યાચારનો કિસ્સો સામે આવ્યો

ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે આચર્યું હતું દુષ્કર્મ

નસવાડીમાં વિધર્મીની અઘટિત માંગ સામે યુવતીએ જીવન ટુકાવ્યું

બન્ને ઘટનાઓના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું આવેદન

ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતોત્યારે આ બન્ને ઘટનાઓના વિરોધમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisment

વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર અર્થે ભરૂચના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવર વારંવાર બોલાવીને રાત્રી રોકાણની ફરજ પાડતો હતો. આ રાત્રી રોકાણ દરમિયાન માનસિક બીમાર મહિલા સાથે આવેલ તેની નાની બેન પર મુજાવર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતોઅને સતત શારીરિક શોષણ કરવાના કારણે આ યુવતીએ મુઝાવર વિરુદ્ધ રાજપરડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તટસ્થ તપાસ કરી મુજાવરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ થોડા દિવસ અગાઉ એક આદિવાસી યુવતી પર ત્યાંના સ્થાનિક વિધર્મી યુવાને પટાવી ફોસલાવીને તેનું જાતીય શોષણ કરવાના કારણે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતીત્યારે આ બન્ને ઘટનાઓને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છેજેમાં ઝઘડીયાના બાવાગોર ટ્રસ્ટને સરકારના હસ્તકમાં લઈ કાયમ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ નસવાડી જેવી ઘટનાઓમાં ષડયંત્રકારીઓની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment