નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ આતંકીઓને આપી ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે

New Update

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીની આતંકીઓને ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકીઓને ચેતવણી આપી હતી,અને જણાવ્યું હતું કે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી,રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં PM મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી,અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકારી દીધા છે.હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે નક્સલવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આજે ભારત પાસે દિશા પણ છે અને દ્રષ્ટિ પણ છે.દુનિયાના દેશ ભારતની નજીક આવી રહ્યા છે.દાયકા જૂના પડકારને અમે સમાપ્ત કરી દીધો છે.

 

Read the Next Article

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

New Update
  • મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

  • સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ

  • કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી

  • અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો

  • મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા 

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.