નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ આતંકીઓને આપી ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે

New Update

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીની આતંકીઓને ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકીઓને ચેતવણી આપી હતી,અને જણાવ્યું હતું કે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી,રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાંPM મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી,અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકારી દીધા છે.હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે નક્સલવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આજે ભારત પાસે દિશા પણ છે અને દ્રષ્ટિ પણ છે.દુનિયાના દેશ ભારતની નજીક આવી રહ્યા છે.દાયકા જૂના પડકારને અમે સમાપ્ત કરી દીધો છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.