નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ આતંકીઓને આપી ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે

New Update

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીની આતંકીઓને ચેતવણી

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકીઓને ચેતવણી આપી હતી,અને જણાવ્યું હતું કે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી,રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાંPM મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી,અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકારી દીધા છે.હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.

નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે નક્સલવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આજે ભારત પાસે દિશા પણ છે અને દ્રષ્ટિ પણ છે.દુનિયાના દેશ ભારતની નજીક આવી રહ્યા છે.દાયકા જૂના પડકારને અમે સમાપ્ત કરી દીધો છે.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.