નવસારી: કૌટુંબિક કાકાએ 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડ!

નવસારીના ખેરગામ તાલુકાના એક ગામમાં સગીરાનું શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી મારી નાંખવાની ધમકી આપવા અંગેની ઘટનામાં પોલીસે કૌટુંબિક કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • નવસારીના ખેરગામનો બનાવ

  • ખેરગામ કૌટુંબિક કાકાએ ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

  • 13 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી

  • પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો

  • નરાધમ આરોપીની ધરપકડ

નવસારીના ખેરગામ તાલુકાના એક ગામમાં સગીરાનું શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવી મારી નાંખવાની ધમકી આપવા અંગેની ઘટનામાં પોલીસે કૌટુંબિક કાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારીના ખેરગામ તાલુકાના બ્રિજેશ નાયકાએ પોતાના સંબંધીની 13 વર્ષની સગીરા ઘરે એકલી રહેતી હોય તે સમયગાળા દરમિયાન તેની સાથે બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અડપલા કરી તે સગીર હોવાનું જાણતો હોવા છતાં સગીરાને ગર્ભવતી બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાને 7 માસનો ગર્ભ પણ રહી ગયો હતો.આ બનાવમાં પોલીસે બ્રિજેશ નાયકા સામે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી બ્રિજેશ નાયકા અને સગીરાના કપડાં કબજે લેવા સાથે તેની મેડિકલ ચકાસણી અને એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી હતી.આરોપી વલસાડના ગુંદલાવમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે.કૌટુંબિક કાકાએ જ ભત્રીજી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે.
Read the Next Article

ભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં  આવ્યો

New Update
  • પ્લેન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન

  • આજે ગુજરાતમાં રાજકીય શોક

  • સરકારી અને જાહેર કાર્યક્રમો રદ્દ કરાયા

  • કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો

  • દુર્ઘટનામાં 241થી વધુ લોકોના નિપજ્યા છે મોત

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 241થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી અંશ કોર્ટ સંકુલ સહિતની કચરીઓ પર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 
આ ઉપરાંત ભરૂચ સહિત સમગ્ર રાજયમાં રાજકીય તેમજ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, રાજ્યના શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી ફરકાવવામાં  આવે છે.
આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.રાજ્યભરના લોકો સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.