નવસારી: મોડી રાતે પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ અને પથ્થરમારો, પોલીસે 300 લોકો સામે ફરિયાદ કરી દર્જ

નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,

New Update
  • જૂથ અથડામણથી સર્જાઈ તંગદિલી

  • પાર્કિંગ મુદ્દે થયો હતો પથ્થરમારો 

  • પોલીસે 300 લોકો સામે ગુન્હો દાખલ કર્યો

  • કોમ્બિંગ કરીને પોલીસ કરશે આરોપીઓની ધરપકડ

  • ઘટના સંદર્ભે રેન્જIGની પત્રકાર પરિષદ

નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,ઘટનાની જાણ થતા જSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

નવસારી શહેરમાં આવેલી દરગાહ રોડ પરની પેન્ટર શૈખની ગલીમાં પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,અને જોતજોતામાં મામલો વધુ બિચકતા પથ્થરમારાની ઘટના પણ બની હતી,ઘટના અંગેની જાણ થતાની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને શહેરની શાંતિને ભંગ કરનાર 300 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રાત્રી દરમિયાન બનેલી જૂથ અથડામણની ઘટનામાં રામ ધૂન પણ બોલાવવામાં આવી હતી,અને પોલીસ દ્વારા પરિસ્થિતિ વધુ વણસે ત્યાર પહેલા પોલીસે કાબુ મેળવી લીધો હતો.આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી.   

ઘટનાની ગંભીરતાને પારખીને ખુદ રેન્જIG પણ નવસારી ખાતે દોડી આવ્યા હતા,અને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં તથ્ય વિહીન પોસ્ટ વાયરલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,રેન્જIG વધુમાં જણાવ્યું હતું કે સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે,ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ત્રણ હજુ ફરાર હોવાનું તેઓએ જણાવ્યું હતું,વધુમાં આ ઘટનામાં 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુન્હો નોંધાયો છે અને પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

બાઈટ:

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.