નવસારી: મોડી રાતે પાર્કિંગ મુદ્દે જૂથ અથડામણ અને પથ્થરમારો, પોલીસે 300 લોકો સામે ફરિયાદ કરી દર્જ

નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,

New Update
  • જૂથ અથડામણથી સર્જાઈ તંગદિલી

  • પાર્કિંગ મુદ્દે થયો હતો પથ્થરમારો 

  • પોલીસે 300 લોકો સામે ગુન્હો દાખલ કર્યો

  • કોમ્બિંગ કરીને પોલીસ કરશે આરોપીઓની ધરપકડ

  • ઘટના સંદર્ભે રેન્જIGની પત્રકાર પરિષદ

નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,ઘટનાની જાણ થતા જSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

નવસારી શહેરમાં આવેલી દરગાહ રોડ પરની પેન્ટર શૈખની ગલીમાં પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,અને જોતજોતામાં મામલો વધુ બિચકતા પથ્થરમારાની ઘટના પણ બની હતી,ઘટના અંગેની જાણ થતાની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને શહેરની શાંતિને ભંગ કરનાર 300 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રાત્રી દરમિયાન બનેલી જૂથ અથડામણની ઘટનામાં રામ ધૂન પણ બોલાવવામાં આવી હતી,અને પોલીસ દ્વારા પરિસ્થિતિ વધુ વણસે ત્યાર પહેલા પોલીસે કાબુ મેળવી લીધો હતો.આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી.   

ઘટનાની ગંભીરતાને પારખીને ખુદ રેન્જIG પણ નવસારી ખાતે દોડી આવ્યા હતા,અને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં તથ્ય વિહીન પોસ્ટ વાયરલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,રેન્જIG વધુમાં જણાવ્યું હતું કે સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે,ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ત્રણ હજુ ફરાર હોવાનું તેઓએ જણાવ્યું હતું,વધુમાં આ ઘટનામાં 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુન્હો નોંધાયો છે અને પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

બાઈટ:

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.