Connect Gujarat
ગુજરાત

નવસારી : 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં પવિત્ર અગ્નિના દર્શન કરી પારસી 1393માં નવા વર્ષની ઉજવણી કરાય

ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોજ નિમિત્તે અગિયારીમાં જઈ પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા હતા.

X

ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોજ નિમિત્તે અગિયારીમાં જઈ પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા હતા. 250 વર્ષ જૂની પારસી અગ્યારીમાં સમાજે પવિત્ર અગ્નિના દર્શન કરી પારસી 1393માં નવા વર્ષની શરૂઆત કરી છે.

હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે આવી પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા. જેમાં ઇરાનના સારી જેવું શહેર લાગતા પારસીઓ નવસારીમાં વસ્યા અને પોતાનું બનાવ્યું. ઇરાનથી લાવેલા પાક આરસ બહેરામને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો. એજ ઐતિહાસિક અગિયારીમાં આજે પારસીઓ પવિત્ર આતસ બહેરામને સુખડ અર્પણ કરી, પ્રાર્થના કરી હતી. આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારી બહારથી સુખડના લાકડાના ટૂકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા. હજારો વર્ષોની પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાદના એટલે પૂર્વજોને યાદ કરવાના દિવસો બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે, ત્યારબાદ આજે 1,393માં નવા વર્ષે 2 વર્ષ બાદ પારસીઓએ નવરોઝની ઉજવણી કરી છે. જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતસ બહેરામને પુષ્પ, સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહૂતિ આપી અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એક-બીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી. હજારો વર્ષ પૂર્વે ઇરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠાના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ અહીં દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે. સંજાણ બંદરે ઉતાર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા અને અહીં તેમને ઇરાનના સારી શહેર જેવો નજારો જોવા મળ્યો હતો. જેથી પારસીઓ નવું સારી નામ આપી અહીં વાસી ગયા હતા. જે આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે.

Next Story