Connect Gujarat
ગુજરાત

નીતિન પટેલ ઉવાચ: હવે અમે નાથીયા જેવા થઈ ગયા.! વાંચો ક્યાં આપ્યું નિવેદન

નીતિન પટેલે હરહમેશની જેમ આગવી છટામાં ભાષણ આપ્યું

નીતિન પટેલ ઉવાચ: હવે અમે નાથીયા જેવા થઈ ગયા.! વાંચો ક્યાં આપ્યું નિવેદન
X

મોરબીમાં ખોખરા હનુમાન ધામના એક કાર્યક્રમમાં નીતિન પટેલે સ્વભાવ મુજબ રમૂજી ભાષામાં કહેવતને યાદ કરી બોલ્યા હતા કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે. મોરબીમાં ખોખરા હનુમાન ધામના કાર્યક્રમમાં નીતિન પટેલ પહોંચ્યા હતા જ્યાં કાર્યક્રમમાં સંબોધન વખતે નીતિન પટેલે હરહમેશની જેમ આગવી છટામાં ભાષણ આપ્યું હતું. અને કહ્યું હતું કે આજે DyCMનો હોદ્દો નથી છતા મને બોલાવ્યો તેનો આનંદ છે. આ આનંદને ગુજરાતી કહેવતની રૂપે રમૂજી અંદાજમાં રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે.

પેલી કહેવત છે ને કે નાણા વગરનો નાથિયો,નાણે નાથાલાલ પહેલા હોદ્દો હતો અને હવે નથી એ પર કટાક્ષ કરતાં આ વાત કરતાં કાર્યક્રમમાં હાસ્યની છોડો ઉડી હતી. અને પોતાને હાલની પરિસ્થિતિએ હું હવે નાથાલાલમાંથી નાથિયો બની ગયો એવું કહ્યું હતું.

Next Story