રોડ નહીં, તો ટેક્સ નહીં..! : નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update
  • બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશનનો વિરોધ

  • હાઇવે પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા

  • સુરતથી મુંબઈ જતાં 100થી વધુ ટેક્સી ચાલકોને હાલાકી

  • ખાડાઓના કારણે વાહનોમાં પણ થઈ રહ્યું છે ભારે નુકશાન

  • વહેલીતકે માર્ગનું સમારકામ કરવા ટેક્સી ચાલકોની રજૂઆત

સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છેત્યારે નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે ટેક્સી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છેત્યારે નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે રોડ નહીંતો ટેક્સ નહીંના સૂત્રોચ્ચાર સાથે ટેક્સી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંજ્યાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેસુરતથી વાપી અને મુંબઈ દરરોજ ટેક્સી લઈને જતા અંદાજિત 100થી વધુ ટેક્સી ચાલકોએ ટોલટેક્સ ચૂકવવા છતાં પણ સારા રોડ ન મળતા તેઓમાં નારાજગી જોવા મળી રહી છે. જોકેહવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બિસ્માર રોડ-રસ્તા મુદ્દે યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે તેવું ટેક્સી એસોસિએશનના સભ્યોએ જણાવ્યુ હતું.

Latest Stories