Connect Gujarat
ગુજરાત

અમદાવાદ રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ ડાયવર્ટ, જાણી લો 19 કિમિ રૂટનો પાર્કિંગ ઝોન

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો રથયાત્રામાં જોડાવવાના છે

અમદાવાદ રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ ડાયવર્ટ, જાણી લો 19 કિમિ રૂટનો પાર્કિંગ ઝોન
X

અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળવાની છે. મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે તેવામાં આ વર્ષે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો રથયાત્રામાં જોડાવવાના છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હજાર રહેવાના હોવાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. રથયાત્રાના રુટને 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.


ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાન નું મોસાળ માં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુર થી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક, દાણાપીઠ થી ખમાસા થઇને નીજ મંદિરે પરત ફરતી હોય છે.

રથયાત્રાના દિવસે આ તમામ રૂટો બંધ રાખવામાં આવશે. જેના કારણે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે.રથયાત્રાના દિવસે વૈકલ્પિક રૂટ 1. રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ, કુલ બજાર, જમાલપુર બ્રિજ વાયા ગીતામંદિર 2. રાયખડ ચાર રસ્તા, જમાલ પુર ગાયકવાડ હવેલી 3. આસ્ટોડિયા ચાર રસ્તા, ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી 4. કામદાર ચાર રસ્તા, હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલ પુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ ઈદગાહ સર્કલ 5. ઈન્કમટેક્ષ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઈદગાહ સર્કલ 6. દિલ્હી દરવાજા, રાહત સર્કલ, દધિચી સર્કલ, રિવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળી ઘર, લાલ દરવાજા રહેશે ટ્રાફિકના 7 હજાર જવાનો આખી વ્યવસ્થાને સંભાળશે

Next Story