પંચમહાલ : ગોધરા ખાતે પરિણીત યુવાનની હત્યાના બનાવમાં હત્યારા મિત્રની LCBએ કરી ધરપકડ

New Update

ગોધરા ખાતે હયાતની વાડીમાં રહેતા પરણિત યુવાન મહંમદહનીફ બદામની હત્યા ખુદ તેના મિત્ર સલમાન મહંમદહનીફ ચૂંચલાએ માત્ર ૫ હજાર રૂપિયાની ઉઘરાણીના અપશબ્દો સાંભળ્યા બાદ બેટીયાના નિર્જન જંગલમાં લઈ જઈને ધારદાર છરીના ઉપરાછાપરી ઘા મારીને ઠંડા કલેજે હત્યા કરી હોવાનો ભેદ ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલીને હત્યારા મિત્રની ધરપકડ કરવામાં આવી.

ગોધરા સ્થિત હયાતની વાડીમાં રહેતો પરણિત યુવાન મહંમદહનીફ દસ્તગીર બદામ ગત શુક્રવારની સાંજે હમણાં આવું છું આ જણાવીને રવાના થયેલા આ યુવાનનો ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલ મૃતદેહ સામલી બેટીયાના જંગલમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ સાથે ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે પણ હત્યારાને ઝબ્બે કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ હત્યાકાંડની તપાસ ટીમમાં સામેલ ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ. કે.પી.જાડેજાની ટીમે તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેક્ષણ અને મૃતકના મિત્રોની અંગત રીતે પૂછપરછો શરૂ કરતાં શહેરના સીગ્નલ ફળીયા ખાતે રહેતા સલમાન ચૂંચલાના ઘર સુધી એલ.સી.બી.શાખાની તપાસ પહોંચતા પી.આઈ.કે.પી.જાડેજા, પી.એસ.આઈ. આઈ.એ.સીસોદીયા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા સલમાન ચૂંચલાને દબોચી લઈને પૂછપરછ કરતા સલમાન મહંમદહનીફ ચૂંચલાએ જણાવ્યું હતું કે મેં મિત્રના નાતે મહંમદહનીફ બદામ પાસેથી ૫ હજાર રૂપિયા ઉછીના લીધા હતા આ નાણાંની ઉઘરાણી માટે વારંવાર અપશબ્દો સાંભળ્યા બાદ હું મહંમદહનીફ બદામને બેટીયાના જંગલમાં લોખંડની પ્લેટો અને સિમેન્ટ પડ્યો છે આ લઈ આવવાની લાલચમાં બાઈક ઉપર બેસાડીને લઈ ગયા બાદ ધારદાર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.