પાટણ : તીક્ષ્ણ હથિયારો સાથે કેટલાક યુવકો હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં ધસી આવ્યા, વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીમાં અટકાયત

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ

કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ધક્કામૂકી મામલે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી થઈ

બનાવના પગલે પોલીસ કોલેજ કેમ્પસ દોડી આવી

ટોળા પૈકી કેટલાક યુવકોની હથિયાર સાથે અટકાયત

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારપાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સામાન્ય બાબતે 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ધક્કામૂકી મામલે ઝઘડો થતાં ટીબી ત્રણ રસ્તા નજીક 2 કોલેજિયન યુવકો ઉપર 15થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને હાથના ભાગે છરીના 2 ઘા વાગ્યા હતા. આ લોકો બન્ને વિદ્યાર્થીઓને બચાવવા માટે દોડધામ કરી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દોડી આવ્યા હતા. તેમની પાછળ પાછળ 8થી 10 યુવાનો બાઈક ઉપર ધસી આવ્યા હતા. વહીવટી ભવન નજીક પહોંચતા બન્ને વિદ્યાર્થીઓને પકડી ટોળાએ ફરીથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો કોલેજ કેમ્પસ ખાતે દોડી આવ્યો હતો. જેમાં હુમલો કરનાર યુવકોના ટોળા પૈકી 3થી 4 યુવકોની હથિયાર સાથે પોલીસે અટકાયત કરી હતીત્યારે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ

વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..

New Update
  • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ

  • રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે

  • દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી

  • આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે  બનાવી તે  માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.

રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને  અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ  કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.